SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં, ચરમખંડનું સંપૂર્ણ નિર્લેપન થઇ ગયું એમ કહેવામાં પણ કોઇ વાંધો નથી, કારણકે એ પ્રાચીન દલિકની અપેક્ષાએ જ કહેવાનું હોય છે, અને પ્રાચીન દલિક તો કોઈ બચ્યું હોતું નથી જ. પ્રશ્ન-૧૯:- વૈ૦ ૧૧ નો જઘન્ય રસ સંક્રમ કેટલા કાળ સુધી સતત મળે? ઉત્તર-૧૯:- આ પ્રવૃતિઓની સત્તા વગરનો અસલી પંચેન્દ્રિયજીવ પુન: બંધ કરે ત્યારે બંધાવલિકા બાદ આનો જઘન્યરસસંકામક બને છે. જો કે તwાયોગ્ય ઉક્ટ સંકલેશમાં જઘન્ય રસબંધ થાય છે અને એ સંક્લેશ બે સમયથી અધિક ટક્તો ન હોવાથી જઘન્યરસબંધ પણ બે સમય સુધી જ થાય છે. તેમ છતાં, અસંગી જીવ એ સંક્લેશ સુધી પહોંચી જઘન્ય સબંધ કરે એ પૂર્વે એણે વૈ૦ ૧૧ નો અજઘન્ય રસબંધ કરી જ લીધો હોય છે. એટલે એ પૂર્વબદ્ધ રસનો સંક્રમ પણ ભેગો મળવાથી જઘન્યથી જેટલો રસ બંધાય છે એટલો જ જઘન્ય રસ સંક્રમમાં મળતો નથી. તેથી આ પ્રવૃતિઓની સત્તા વગરના અસંજ્ઞીને સર્વપ્રથમ જઘન્યથી જેટલો રસ બંધાય છે એ જ બંધાવલિકા બાદ સંક્રમે ત્યારે જઘન્ય રસસંક્રમ તરીકે મળે છે. સામાન્યથી, આ સર્વપ્રથમ જે બંધ થાય છે તે. જેમાં પરાવર્તમાન પ્રવૃતિઓ પણ બંધાઈ શકે એવું ચાર સમય પ્રાયોગ્ય મધ્યમ અધ્યવસાય સ્થાન હોય છે. એટલે એ રસનો સતત ચાર સમય બંધ થઇ શક્તો હોવાથી બંધાવલિકા બાદ સતત ચાર સમય સુધી જઘન્ય રસાસંક્રમ મળી શકે છે. પ્રશ્ન-૨૦:- નામ, ગોત્ર અને વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસ લપક જીવ ૧૦ માના ચરમસમયે બાંધી બંધાવલિકાબાદ સંક્રમાવવો શરુ કરે છે, યાવત્ ૧૩ માના ચરમ સમય સુધી સંક્રમાવે છે એમ કહ્યું છે. આમાં પ્રશ્ન ઊભો થાય છે કે ૧૨ મા -૧૩ મા ગુણઠાણે બંધ ન હોવાથી ઉદ્વર્તન કે પરપ્રકૃતિમાં સંક્રમ હોતો નથી. “સમ્પટ્ટિો ન જીરૂ સુદાજુમા એ વચનાનુસારે અપવર્તના પણ હોતી નથી. તો અહીં કયો અનુભાગસંક્રમ હોય છે? ઉત્તર-૨૦:- ઉદ્દવર્તનાકે પરપ્રકૃતિસંક્રમ તોહતોજનથી. પણ અપવર્તના હોવામાં કોઈ વાંધો નથી. સમ્યફ્તી જીવ શુભના રસને હણતો નથી એવું જે કહ્યું છે તે તો ઉપર-ઉપરના તે તે રસનો સર્વથા ઘાત કરતો નથી એ તાત્પર્યમાં છે, એટલે કે આ વાત માત્ર વ્યાઘાત ભાવિની અપવર્તનાના નિષેધ માટે છે. રસની અપવર્તનામાત્રના નિષેધ માટે નહિં. ઉત્કૃષ્ટ રસ સુધીના રસની અપવર્તના ચાલુ સંક્રમકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy