SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉદયાવલિકા એક એક સમય ઉપર આવતી જાય છે. તેથી ચરમખંડ એક - એક સમય નાનો થતો જાય છે. ધારોકે૪સમયની આવલિકા છે. ૧લા સમયે ચરમખંડને ઉકેરવાનો પ્રારંભ થયો અને એ વખતે કુલ સ્થિતિસત્તા ૧૦૦ સમય છે. ચરમખંડને ઉમેરતાં કુલ ૧૦ સમય લાગવાના છે. તો પ્રથમ સમયે - ૧ થી ૪ સમય ઉદયાવલિકા, ૫ થી ૧૦૦ (=૯૬) સમય ચરમખંડ, એટલે એ વખતે ૯૯ સમયનો સ્થિતિસંક્રમ થશે. બીજા સમયે – ૨ થી ૫ સમય ઉદયાવલિકા, ૬ થી ૧૦૦ (=૯૫) સમયનો ચરમખંડ. ૧૦ મા સમયે – ૧૦ થી ૧૩ સમય ઉદયાવલિકા, ૧૪ થી ૧૦૦ (=૮૭) સમયનો ચરમખંડ. આમ માત્ર ચરમસમયે જ ચરમખંડ સહુથી નાનો હોય છે અને એનો જઘન્ય સ્થિતિ સંક્રમ થાય છે એ જાણી શકાય છે. એટલે જઘન્ય સ્થિતિસંક્રમ માત્ર એ એક સમય માટેજ મળે છે. પણ નપું૦ વેદ વગેરે જે પ્રકૃતિઓમાં અંતર પડયું હોય, અને બીજી સ્થિતિમાંથી ચરમખંડ ઉકેરાતો હોય તેનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત સુધી મળ્યા કરે છે તે જાણવું. કેમકે ચરમખંડ અંતરની ઉપરથી જ શરુ થતો હોવાથી નીચે એક – એક સમય પસાર થવામાં એમાં કોઇ ફેર પડતો નથી. પ્રશ્ન ૧૪ :- પુરુષવેદના જઘન્ય સ્થિતિસંક્રમ તરીકે અબાધાન્યૂન ચરમબંધ (૮ વર્ષ) શા માટે કહ્યો, અંતરન્સૂન ચરમબંધ કેમ નહીં ? ઉત્તર ૧૪ :- જઘન્ય સ્થિતિ સંક્રમ જ્યારે થાય છે ત્યારે માત્ર ચરમસમયબદ્ધ દલિક જ સત્તામાં રહ્યું હોય છે, પ્રાચીન કોઇ દલિક હોતું નથી.... અને ચરમસમયે બંધાયેલ દલિક તો અબાધામાં નિષેક રૂપે ગોઠવાયેલું હોતું નથી જ. વળી અહીં અબાધાન્યૂન કરવાનું કહ્યું છે એનાથી જ જણાય છે કે ચરમસમયબદ્ધ એ દલિક બંધાવલિકા વીત્યા બાદ પણ અપવર્તનાથી અબાધાની અંદર આવ્યું હોતું નથી. આના પરથી જણાય છે કે અપવર્તના માટે પતદ્મહભૂત નિષેક આવશ્યક છે. વળી આ જઘન્ય સ્થિતિસંક્રમ પુરુષવેદે શ્રેણિમાંડનારને જ જાણવો, કારણકે અન્યવેદે શ્રેણિમાંડનારને પુરુષ વેદનો બંધવિચ્છેદ વહેલો થવાથી ૮ વર્ષનોચરમબંધ વગેરે સંભવતું નથી. એમ નપું૦ વેદનો જઘન્ય સ્થિતિસંક્રમ નપું૦ વેદે શ્રેણિમાંડનારને જાણવો. કારણકે અન્ય વેઠે શ્રેણિ માંડનારને નપું૦ વેદ જલ્દી ક્ષીણ થતું હોવાથી જે ચરમખંડ હોય છે તેના કરતાં, નવું ૰ વેદે શ્રેણિ માંડનાર જીવને નપું ૦ વેદ મોડો કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - - Jain Education International For Private & Personal Use Only ૭૯ www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy