SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કરી આવો જે અર્થ કરવામાં આવે છે કે વૈક્રિયલટનો જઘન્યસ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમ P/a અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમ છે તેમાં, જે ઉત્તરપ્રકૃતિઓનો સમાન સ્થિતિબંધ સંભવિત હોય તે પ્રકૃતિઓ એક જ સમયે બંધાતી હોય ત્યારે એના સ્થિતિબંધમાં P/a થી વધુ તફાવત ન હોય' આવા નિયમની અસંગતિ ઊભી થાય છે. પંચેન્દ્રિય જાતિ વગેરેનો પણ ૨૦૦૦/૭ સાગરોપમ સ્થિતિબંધ અસંજ્ઞી જીવને શકય હોવા છતાં(પ્રસિદ્ધ વ્યાખ્યાનુસારે) વૈયિદ્ગિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક અસંજ્ઞીજીવ૨૦૦૦/૭સાગરોપમ જેટલો સ્થિતિબંધ કરે છે જ્યારે પંચેન્દ્રિય જાતિ વગેરે નો ૨૦૦૦/૭ સાગરોપમ +P/sનો સ્થિતિબંધ કરે છે. એટલે કે P/s નો તફાવત પડે છે. (જો કે શુક્લવર્ણના ૧૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે કૃષ્ણ વર્ણનો ૨૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ માનનાર મતે ઉક્ત નિયમ ન રહેતો હોવાથી એની અસંગતિ કહી શકાતી નથી.) એટલે નિદ્રા વગેરેના જઘન્ય સ્થિતિબંધના અધિકારમાંજ ‘પલ્લાસંખંપૂર્ણ પદનો અન્વય કરવો યોગ્ય લાગે છે. એટલે નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ - [P/a જેટલો હશે. એમાંP/a ઉમેરવાથી જે ૩/૭ સાગરોપમ આવશે તે એકેન્દ્રિયને નિદ્રાનો થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે... આવો અર્થ આ વ્યાખ્યાનુસારે નીકળશે, જે કર્મ પ્રકૃતિને અનુસરનારો હોવાથી બન્ને ગ્રન્થનો સમન્વય પણ થઇ જાય છે. એમ વૈક્રિયષક માટે, ર૦૦૦/૭ સાગરોપમ - P/s એ જઘન્ય સ્થિતિબંધ અને એમાં P/s ઉમેરવાથી ૨૦૦૦/૭ સાગરોપમ એ વૈક્રિય ૬નો અસંજ્ઞીને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. આમ નિદ્રા વગેરે માટે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭ કોડા કોડીથી ભાગી એમાંથી P/a બાદ કરવાથી જઘન્ય સ્થિતિબંધ આવે અને એમાં P/a ઉમેરવાથી એકેન્દ્રિયને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે એટલો અર્થ પંચસંગ્રહમૂળ પરથી પણ નીકળી શક્તો હોવાથી આટલા અંશમાં તો એ કર્મપ્રકૃતિના મત સાથે સમાન જ છે. હવે એટલો તફાવત રહ્યો છે કે કર્મપ્રકૃતિમાં વર્ગોત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડીથી ભાગવાનું કહ્યું છે જ્યારે પંચસંગ્રહમાં ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવાનુ કહ્યું છે. આટલો તફાવત પણ નીચે મુજબ વ્યાખ્યા કરવાથી દૂર થઇ શકે છે. પંચસંગ્રહકારે ‘સેમા સામો' કહ્યું છે. એટલે કે શેષ પ્રકૃતિઓની જઘન્ય માટે બંધન કરણ ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy