SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્યની નીચે તિર્યંચદ્દિકનો બંધ જ ન હોવાથી તેઓની અપેક્ષાએ એ નીચેની સ્થિતિઓના ઉત્કૃષ્ટરસને પરાવર્તમાન ૧૫ કે ૧૮ કોડા કોડી સુધીના અને ત્યારબાદની અસંખ્યસ્થિતિઓના જઘન્ય રસ કરતાં અનંતગુણ કહેવો પણ સંભવતો નથી. તેમ છતાં, ગ્રન્થમાં કહ્યો તો છે જ. તો એને સંગત શી રીતે કરવો? એટલે આગળના પ્રશ્નમાં તિર્યં ચદ્ધિકના સ્થિતિબંધના ત્રણ ખંડ કરી જે ઞ, વ, સંજ્ઞા આપી છે તદનુસાર, ઞ ના છેલ્લા કંડકનો ઉત્કૃષ્ટરસ, વ ની બધી સ્થિતિઓના અને ના પ્રથમકંડની અસંખ્યબહુભાગ સ્થિતિઓના જઘન્ય રસ કરતાં અનંતગુણ હોવો કહ્યો છે તેને સંગત કરવા આ પ્રમાણે માનવું પડે છે કે વિવક્ષિત પ્રકૃતિની જે સ્થિતિઓને કોઇપણ જીવ પરાવર્તમાનભાવે બાંધતો હોય તે સ્થિતિઓ પરાવર્તમાન તરીકેનિશ્ચિત કરી દેવી અને શેષ બધ્યમાન સ્થિતિઓઅપરાવર્તમાન તરીકે સ્વીકારી લેવી. અને પછી બંધકને વચ્ચે લાવ્યા વગર, વિવક્ષિત પ્રકૃતિની સ્થિતિઓના જે પરા૦- અપરા૦ વગેરે ખંડો પડે એ મુજબ તીવ્રતા – મંદતાનો વિચાર કરવો. તિર્યંચદ્દિકને મનુષ્યો - તિર્યંચો અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી ૧૮ કોડા કોડી સુધી પરાવર્તમાનભાવે બાંધે છે, ત્યાર બાદ અપરા ભાવે બાંધે છે. અને એ પૂર્વે સાતમી નારકીના જીવો અપરા૦ ભાવે બાંધે છે. એટલે તિર્યંચદ્ધિક પ્રકૃતિઓ માટે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પૂર્વેનો અપરા૦ સ્થિતિઓનો ઞ ખંડ, ત્યાંથી ૧૮ કોડા કોડી સુધી ૫૨ા૦ સ્થિતિઓનો વ ખંડ અને ત્યારબાદ ૨૦ કોડા કોડી સુધીનો અપરાનો ૐ ખંડ... આમ ત્રણ ખંડ થઇ ગયા. હવે કોણ બંધક છે એ વિચાર કર્યા વગર તીવ્રતા – મંદતાનો વિચાર કરીએ એટલે ગ્રન્થોક્ત તીવ્રતામંદતા સંગત થઇ જશે. આમ તીવ્રતા-મંદતામાં બંધને આગળ કરવાનો ન હોવાથી તિર્યંચદ્ભિકનો ૧૪ કોડા કોડી સાગરોપમ અને ૧૬ કોડા કોડી સાગરોપમ બંધ કરનાર કોઇપણ જીવને (અને તેથી દેવોને પણ) જઘન્ય રસબંધ સરખો જ થાય છે એમ માનવું યોગ્ય લાગે છે. તેમ છતાં, પ્રકૃતિની પરાવર્તમાનતામાં બંધક પણ ભાગ ભજવતો હોવાનું માનવાનું હોય તો, ગ ખંડના છેલ્લા કંડકની અનુકૂષ્ટિ ખંડના પ્રથમ કંડના ૫૦ Jain Education International For Private & Personal Use Only બંધનકરણ www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy