SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અશાતા વગેરેમાં પહેલાં આક્રાન્તસ્થિતિઓ અને પછી અનાદાન છે, પણ તિર્યચદ્ધિક વગેરેની જેમ આક્રાન્તપૂર્વે પણ અનાક્રાન્ત છે નહીં. એટલે એ પ્રવૃતિઓમાં, આક્રાન્તસ્થિતિઓમાં જેટલા કંડક હોય તેટલા સમય પ્રમાણ “કંડકનો અસંખ્યમો ભાગ છોડવો. પણ એક અધિક સમય પ્રમાણ નહી. કારણ કે, તિર્યચકિ વગેરેમાં નીચેના અનાક્રાન્તના છેલ્લા કંડકના ઉત્કૃષ્ટ રસો બાદ એક સ્થિતિનો જઘન્ય જે મૂકવો પડતો હતો તે અશાતા વગેરેમાં મૂકવો પડતો નથી. પ્રશ્ન - ૪૮ - મધ્યમ ૪ સંઘયણ – સંસ્થાન, સૂક્ષ્મ ૩, વિલ ત્રિક આ ૧૪ ની તીવ્રતા મંદતા કેવી હોય? ઉત્તર - જ૮ :- આગળ કહી ગયા મુજબ આ પ્રવૃતિઓમાં માત્ર તાનિઅન્યાનિ અનુકૃષ્ટિ હોય છે. એટલે સૌ પ્રથમ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધનો જઘન્ય રસ અલ્પ, પછીની સ્થિતિનો જઘન્ય રસ તુલ્ય... એમ થાવ સ્વઉત્કૃષ્ટ સ્થિતિનો જઘન્ય રસ તુલ્ય. ત્યાર બાદ જઘન્ય સ્થિતિનો ઉત્કૃષ્ટ રસ, પછીની સ્થિતિનો ઉત્કૃષ્ટ A એમ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિનો ઉત્કૃષ્ટ રસ A (અનંતગુણ) એમ કહેવું પ્રશ્ન -૪૯ :- તિર્યચદ્ધિક પ્રવૃતિઓનો, એક દેવ ૧૪ કોડા કોડી સાગરોપમ અને બીજો દેવ ૧૬ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ કરે છે. એ બન્નેને થતો સંભવિત જઘન્ય રસબંધ તુલ્ય હશે કે હીનાધિક? ઉત્તર - ૪૯ - એ બનેનો જઘન્ય રસબંધ તુલ્ય હોવો જોઈએ, કારણકે અંભવ્ય પ્રાયોગ્ય અંતઃ કોડા કોડીથી ૧૮ કોડા કોડી સુધીની તિર્યચદ્ધિકની સ્થિતિઓ પરાવર્તમાન જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય હોવાથી એ દરેક સ્થિતિપ્રાયોગ્ય જઘન્ય રસબંધ તુલ્ય જ હોય છે. શંક- દેવોને તિર્યચદ્ધિક મનુષ્યદ્ધિકસાથે જ પરાવર્તમાન છે, કારણકેનરકદ્ધિનો બંધ હોતો નથી. મનુષ્ય દ્વિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોડા કોડી સાગરોપમ છે. એટલે કોઇપણ દેવ નામકર્મનો સ્થિતિબંધ જ્યારે ૧૫ કોડા કોડીથી અધિક કરતો હોય છે ત્યારે એ તિર્યંચદ્ધિક જ બાંધે છે, પરા, ભાવે મનુષ્યદ્દિક બાંધી શક્તો નથી. તિર્યચદ્ધિકને ૧૮ કોડા કોડી સુધી આકાન જે કહી છે તે તિર્યંચ - મનુબંધકોની અપેક્ષાએ નરકદ્ધિક સાથેની પરાવર્તમાનતાના કારણે કહી છે. તિર્યંચ-મનુષ્યો માટે ૧૮ કોડા કોડી સુધી પરાવર્તમાન હોવાથી દેવા માટે પણ એ ત્યાં સુધી પરા જ હોય એવું કહી શકાતું નથી, કારણકે પરાવર્તમાનતા માટે પ્રતિપક્ષી પ્રવૃતિઓનો કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy