SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ હોય છે તેના કરતાં એક સમય વધુ બે સમય વધુ.. એમ યાવત પલ્યોપમના સંખ્યામા ભાગ જેટલો વધુ... આટલો સ્થિતિબંધ તો આ અવસ્થામાં કોઇને હોતો નથી, કેમકે અનિવૃત્તિકરણે રહેલા આ જીવોનો અપૂર્વસ્થિતિબંધ સીધો પલ્યોપમના સંખ્યામાભાગ જેટલો એકી સાથે ઘટી જાય છે. વળી અનિવૃત્તિકરણે જીવોના અધ્યવસાયોમાં ફરક ન હોવાથી એ રીતે પણ જુદો જુદો સ્થિતિબંધ હોવો સંભવતો નથી. બંધનકરણની ૬૭મી ગાથાની ચૂર્ણિમાં પણ તિર્યંચગતિનામકર્મની તીવ્રતા-મંદતા અધિકારમાં જણાવ્યું છે કે અભપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચેની સ્થિતિઓ બંધથી નિરંતર મળતી નથી. એટલે આ વચલા ગાળાની સ્થિતિબંધ જ જો હોતો નથી તો અનુકૃષ્ટિ શી રીતે સંભવે? સમાધાન-કર્મપ્રકૃતિચૂર્ણિનીટીપ્પણમાં આચાર્યવર્યશ્રીમાન મુનિચન્દ્રસૂરિ મહારાજે જણાવ્યું છે કે “અંતરાલસ્થાનો શૂન્ય છે. તેમ છતાં, ચરમસમયબંધ સુધી પ્રરૂપણા કરવી છે. એટલે ત્યાં સુધી પહોંચવા માટે વચ્ચેના સ્થાનોની પ્રરૂપણામાત્ર કરી છે. નહીંતર તો ચરમબંધ સુધીની પ્રરૂપણા જ અશક્ય બની જાય. માટે જે પ્રમાણે સંભવ હોય તે પ્રમાણે ત્યાં સુધી અનુકૃષ્ટિ ઘટે છે. અન્ય આચાર્યોનો અભિપ્રાય એવો છે કે ઉપશમસમ્યકત્વાભિમુખ મિથ્યાત્વનીચરમસમયભાવી વિશુદ્ધિ કરતાં કેટલાક ક્ષયોપશમસમ્યક્તાભિમુખ મિથ્યાત્વીની વિશુદ્ધિ વધુ હોવી સંભવે છે. આ વાત એના પરથી જણાય છે કે - મિથ્યાત્વમોહનીયની જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી તરીકે સાતમા ગુણઠાણાને અભિમુખ થયેલા ચરમસમયમિથ્યાત્વીને કહ્યો છે. આ જીવ સાયોપથમિક સમ્યકત્વ પામતો હોય છે, ઉપશમસમ્યકત્વ નહીં, કેમકે ઉપશમસમ્યક્ત પામનારને તો આવલિકા પૂર્વે જ ઉદીરણાવિચ્છેદ થઈ ગયો હોવાથી ચરમસમયે ઉદીરણા જ હોતી નથી. જો કે મિથ્યાત્વની જઘન્ય ઉદીરણાના સ્વામીની આ પ્રરૂપણા પરથી પણ સાયોપશમિક સમ્યક્ત પામનાર મિથ્યાત્વીની ચરમસમયભાવી વિશુદ્ધિ ઉપશમ પામનાર મિથ્યાત્વીની આવલિકા પૂર્વેની વિશુદ્ધિ કરતાં જ વધુ હોવી સિદ્ધ થાય છે, ચરમસમયભાવી વિશુદ્ધિ કરતાં નહીં. તો પણ પ્રસ્થાનરથી એ સિદ્ધ થઈ શકે છે કે લાયોપથમિક સમ્યકત્વ પામનારને પણ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સંભવિત છે. મહાબંધ માં મિથ્યાત્વના જઘન્ય રસબંધનું અંતર અંતર્મુહૂર્ત બતાવ્યું છે જે તે ૪૦. બંધનકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy