SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્માણ. પ્રશ્ન ૩૧ :- ષસ્થાનકમાં સંખ્યાતગુણસ્થાન એટલે શું ? ઉત્તર ૩૧ :- આ બાબતમાં બે મત મળે છે. પૂર્વસ્થાનને ઉત્કૃષ્ટસંખ્યાતાએ ગુણવાથી જે આવે તે સંખ્યાતગુણ' કહેવાય એવો વૃત્તિનો મત છે. પૂર્વસ્થાનને ઉત્કૃષ્ટ સંખ્યાતાએ ગુણવાથી જે આવે તેને પૂર્વસ્થાનમાં ઉમેરવાથી જે આવે તે સંખ્યાતગુણ કહેવાય એવો ચૂર્ણિનો મત છે. - પ્રશ્ન કુર :- નરકગતિ અને દેવગતિના જઘન્ય રસબંધના સ્વામી કોણ હોય ? પ્રશ્ન એટલા માટે પૂછીએ છીએ કે શતસૂર્ણિમાં એવું દેખાડયું છે કે નરકગતિનો જઘન્યસ્થિતિબંધક તેના જઘન્યરસનો બંધક હોય છે અને દેવગતિનો જ્યેષ્ટ સ્થિતિબંધક તેના જઘન્ય રસનો બંધક હોય છે. તો આ જઘન્ય-ઉત્કૃષ્ટ સિવાયનો સ્થિતિબંધ થતો હોય ત્યારે તે બેનો જઘન્યરસબંધ થાય કે નહીં? ઉત્તર ૩રી :- નરકગતિનામકર્મ પરાવર્તમાનઅશુભ હોવાથી જઘન્ય રસબંધ અધ્યવસાય સ્થાન જ્યાં સુધી તાનિ અન્યાનિ અનુકૃષ્ટિ ચાલે ત્યાં સુધી મળે છે. એટલે કે એને પ્રતિપક્ષભૂત તિર્યંચગતિનામકર્મના બંધનું જે ૧૮ કો. કો. સાગરોપમ રૂપ ચરમ સ્થિતિસ્થાન છે ત્યાં સુધી જઘન્ચરસબંધ અધ્યવસાય સંભવિત હોવાથી ત્યાંસુધી જઘન્યરસસબંધ થાય છે. તેથી જ નરકગતિના જઘન્યરસબંધક જીવોની સ્પર્શના ૬ રાજ હોવી ઘટે છે. આશય એ છે કે, સાતમી નરકાયુના બંધ વખતે કે ૭ મી નરકમાં જવા વખતના મરણસમુદ્દાત વખતે જઘન્યસ્થિતિબંધ હોતો નથી. તેમ છતાં નરકગતિના જઘન્ય૨સબંધક જીવોની સ્પર્શના છ રાજ બતાવી છે, આ સ્પર્શના સાતમી નરકમાં જનારને મરણ સમુદ્દાતે જ આવે છે, એ સિવાય નહીં. તેથી એ જીવોમાં જઘન્ય રસબંધત્વ તો માનવું જ પડે છે. તેથી જઘન્ય સ્થિતિબંધ સિવાય પણ જઘન્યરસબંધ હોય તો જ આ વાત ઘટે છે. આમ છતાં, શતચૂર્ણિમાં જઘન્યસ્થિતિબંધક્કે જઘન્ચરસબંધક તરીકે જે કહ્યો છે તે આદિસૂત્ર તરીકે સમજવું, પણ તે જ તેનો સ્વામી હોય, અન્ય સ્થિતિબંધકો નહીં જ, એવા અન્યચવચ્છેદક તરીકે ત્યાં કહ્યું છે એમ ન સમજવું. એટલે કે જઘન્યરસબંધક જીવોમાં સ્થિતિબંધકોની અપેક્ષાએ જે સૌ પ્રથમ જઘન્યસ્થિતિબંધ હોય છે તેનો ત્યાં ઉલ્લેખ કર્યો છે. અને તે ઉલ્લેખ પરથી, ત્યારથી માંડીને ૧૮ કો. કો. સાગરોપમ સુધીના સ્થિતિબંધકોમાં પણ તે સ્વામિત્વની સંભાવના જાણી લેવી, માત્ર જઘન્ય સ્થિતિબંધક જ જઘન્ય રસબંધક હોય છે એવું ન સમજવું, કેમકે કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી – Jain Education International For Private & Personal Use Only ૨૯ www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy