SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અને થીણદ્ધિ આ ક્રમમાં જ રસ, ઉત્તરોત્તર વિશેષાધિક બંધાય છે. આ પ્રકૃતિવિશેષતાના કારણે, મળતું દલિક પણ આજ ક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક હોય છે. વળી આવી પ્રવૃતિ વિશેષતાના કારણે થતું પ્રાપ્ત દલિકનું આધિક્ય અસંખ્ય ભાગ જેટલું હોય છે. એટલે જયારે પહેલે ગુણઠાણે પાંચે નિદ્રા બંધાતી હોય છે ત્યારે પ્રચલાને મળતાં દલિક કરતાં નિદ્રાને અસંખ્ય ભાગ અધિક દલિક મળે છે. એમ નિદ્રા કરતાં પ્રચલાપ્રચલાને અસંખ્ય ભાગ અધિક દલિક મળે વગેરે જાણવું. તેથી નવવિધબંધકને નવ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પ્રચલાપ્રચલાને પ્રકૃતિ વિશેષતાના કારણે અસંખ્યમો ભાગ અધિક દલિક મળે છે જ્યારે વડ વિધ બંધકને છ જ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં, પ્રકૃતિઅલ્પતા થવાના કારણે નિદાને મળતા દલિકનું આધિક્ય અનંતમો ભાગ જ હોય છે. તેથી વવિધ બંધકાળે નિદ્રાને મળતાં દલિક કરતાં પણ નવવિધ બંધકાળે પ્રચલાપ્રચલાને મળતું દલિત અધિક હોવામાં કોઈ અસંગતિ નથી. આ જ કારણ છે કે મોહનીયકર્મમાં પણ અપ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા, લોભ પછી પ્રત્યાખ્યાનાવરણ માન.. વગેરેના ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક કહેલ છે. અન્યથા અનંતાનુબંધીના બંધકાળે કષાયમોહનીયની ૧૬ પ્રવૃતિઓ બંધાય છે જયારે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના બંધકાળે અનુક્રમે ૧૨ અને ૮ પ્રકૃતિઓ પણ બંધાવી શક્ય છે. તેથી અનંતા માન, ક્રોધ, માયા, લોભ, અપ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ, પ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ આ ક્રમ દેખાડવો પડત. અનંતાનુબંધી ન બંધાતી હોય ત્યારે એના ભાગનું અનંતબહુભાગ દલિક તો દેશઘાતી થઇ જ સંજવલનને જ મળવાથી અપ્રત્યા૦ વગેરેને માત્ર અનંતમો ભાગ દલિક જ વધે છે જયારે અનંતાનુબંધીના બંધકાળે એનો અધિક રસ બંધાતો હોવાથી એને અપ્રત્યા૦, પ્રત્યા કરતાં પ્રકૃતિવિશેષતાના કારણે અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે. એટલે કષાયમોહનીયની ૧૬ પ્રવૃતિઓ બંધાતી હોય ત્યારે અનંતાને જે દલિક મળે છે તે. ૧૨ પ્રકૃતિઓના બંધ વખતે અપ્રત્યાને મળતાં દલિકથી અને ૮ પ્રકૃતિઓના બંધકાળે પ્રત્યાને મળતાં દલિકથી પણ અધિક હોવાથી અલ્પ બહુત્વનો આવો ક્રમ આપ્યો છે. સંજવલન જતો દેશઘાતી પ્રવૃતિઓ છે. અને એમાં તો દેશઘાતિત્વના કારણે અનંતગુણ દલિક મળતું હોય છે. એટલે સંજવલન ક્રોધાદિના બંધવિચ્છેદ બાદ ૨૨ બંધનકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy