SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ માટે તો વીતરાગ જીવોને એક જ પ્રકૃતિનો બંધ લઇ શકાય છે. તે ન લેતાં ૧૦મે ગુણઠાણે મૂળ છ પ્રકૃતિઓનો બંધ લીધો છે અને વિશેષાધિક વ્હેલ છે. પ્રશ્ન - ૨૩ :- પ્રદેશવહેંચણીના અલ્પબહુત્વની વિચારણાનો આધાર શું છે ? ઉત્તર - ૨૩ :- મુખ્યતયા ૩ બાબતોને આધાર રાખીને વિચારણા છે . ઉત્કૃષ્ટ પદ માટે અધિકૃત પ્રકૃતિના બંધકાળે યોગની સંભવિત ઉત્કૃષ્ટતા, બંધાતી મૂળ પ્રકૃતિઓની સંભવિત અલ્પતા, તથા બંધાતી સ્વજાતીય ઉત્તરપ્રકૃતિઓની અલ્પતા. જઘન્ય પદે અલ્પબહુત્વ માટે આનાથી વિપરીત જાણવું. પ્રશ્ન - ૨૪ :- પ્રદેશ વહેંચણીના ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વમાં દર્શનાવરણમાં પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા.... વગેરે ક્રમે વિશેષાધિક-વિશેષાધિક કહેલ છે, પણ આ શી રીતે ઘટે? કારણકેપ્રચલા અને નિદ્રા તો દર્શનાવરણના ષડવિધબંધકને પણ બંધાય છે જયારે પ્રચલાપ્રચલા વિગેરે તો દર્શનાવરણના નવવિધબંધને જ બંધાય છે. આશય એ છે કે પ્રચલાપ્રચલાના બંધકાળે દર્શનાવરણની નવેય પ્રકૃતિઓ બંધાતી હોવાથી એના ભાગે જે સર્વઘાતી દલિકો આવેલાં હોય છે એના નવ ભાગ પડતા હોવાથી પ્રચલાપ્રચલાના ભાગે લગભગનવમો ભાગ આવતો હોય છે. નિદ્રાના બંધકાળે તો (ત્રીજા વગેરે ગુણઠાણે) દર્શનાવરણની છ જ પ્રકૃતિઓ બંધાતી હોવાથી નિદ્રાના ભાગે દર્શનાવરણસંબંધી સર્વઘાતી દલિકનો લગભગ છઠ્ઠો ભાગ આવે છે. તેથી, જેમ મોહનીયકર્મમાં સંજવલન ક્રોધનો બંધક મોહનીયનો ચતુર્વિધબંધક મળતો હોવાથી અને સંજવલન માનનો બંધક ત્રિવિધબંધક મળતો હોવાથી સંજ્વલનમાનને વિશેષાધિક દલિક મળે છે તેમ પ્રસ્તુતમાં પ્રચલાપ્રચલા કરતાં નિદ્રાને વિશેષાધિક દલિક મળવું જોઇએ ને ? ઉત્તર – ૨૪ : સર્વઘાતી પ્રકૃતિઓ માટે નિયમ છે કે જે સર્વઘાતી પ્રકૃતિનો બંધવિચ્છેદ જાય તેના ભાગના દલિકોનો અનંત બહુભાગ દેશઘાતી બની બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને જાય છે અને શેષ અનંતમો ભાગ બંધાતી સર્વઘાતી પ્રકૃતિ ઓને જાય છે. એટલે થીણિિત્રકનો બંધવિચ્છેદ થયા બાદ એ ત્રણના ભાગના દલિકનો અનંત બહુભાગ તો અચતુદર્શનાવરણ વગેરે ત્રણ દેશઘાતીને મળવાથી નિદ્રાને તો માત્ર અનંતમો ભાગ જ દલિક વધે છે. સામાન્યથી કોઇપણ ૨સબંધકાળે પ્રચલા, નિદ્રા, પ્રચલા પ્રચલા, નિદ્રાનિદ્રા કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy