SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિઓમાં સંજય૦ ત્રિનો પણ સમાવેશ કરાયો છે. આ ૩ ને તો, કોઇપણકષાયોદયારૢ જીવ હોય, બંધવિચ્છેદ બાદ સમયન્યૂન બે આવલિકાએ જ સત્તાવિચ્છેદ કે ઉપશાંતતા હોવાથી, અને એ કાળ દરમ્યાન તો યથાપ્રવૃત્તસંક્રમ હોવાથી ઉવેલનાસંક્રમ ઉપર કહ્યા મુજબ ઘટાવવો પડે કે અઘાત્યમાનખંડમાંથી યથાપ્રવૃત્તસંક્રમ અને ઘાત્યમાન ખંડમાંથી ઉદ્વેલનાસંક્રમ હોય છે. વસ્તુતત્ત્વ કેવલિગમ્યમ હવે પુ૦ વેદનો ગુણસંક્રમ હોય કે નહીં તે વિચારીએ ગુણસંક્રમયોગ્ય પ્રકૃતિઓમાંપુ૦ વેદની ગણતરી કરવામાંઆવીનથી. વળી ગુણસંક્રમ અશુભ અબધ્ધમાનનો થતો હોવાથી બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી તો ગુણસંક્રમ હોતો નથી, અને બંધવિચ્છેદ બાદ સમયન્યૂન ૨ આવલિકામાં તો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. તેમજ એ વખતે તો માત્ર નવું બંધાયેલ દલિક સત્તામાં હોય છે જે ઘણું અલ્પ હોવા થી ગુણસંક્રમ થઇ શક્તો નથી. એટલે પુ૦ વેદનો ગુણસંક્રમ સંભવતો નથી. તેમ છતાં, છઠ્ઠા કર્મગ્રન્થની ૬૭ મી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે સમયન્સૂન બે આલિકામાં બંધાયેલ દલિકને એટલા જ કાળમાં ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે. આગળ કહ્યા મુજબ, અન્યવેદોદયાઢ જીવને બંધવિચ્છેદ બાદ પણ પુ૦ વેદની અંતર્મુહૂર્ત સુધી સત્તા રહે છે તેમજ એ દલિક પ્રાચીન હોય છે. એટલે એ જીવો ને એ અંતર્મુહૂર્તમાં ગુણસંક્રમ હોવો સંભવિત લાગે છે. એમ, ઉદ્દેલનામાં પણ ચરમખંડનું દલિક સંજય૦ ક્રોધમાં અસંખ્યગુણ – અસંખ્યગુણ ગુણકારે સંક્રમાવે છે, એટલે પુ. વેદની ઉદ્દવેલનાની અપેક્ષાએ ચરમખંડને ખાલી કરવામાં ગુણસંક્રમની વિવક્ષા કરી શકાય છે. વસ્તુતત્ત્વ બહુશ્રુતગમ્ય છે. હવે પુ૦ વેદના સર્વસંક્રમની વિચારણા સર્વસંક્રમના નિરૂપણ માટે આ પ્રમાણે કહ્યું છે : ઉદ્દેલનાસંક્રમની પ્રરૂપણામાં જ ભેગી સર્વસંક્રમની પ્રરૂપણા કરી છે. ઉદ્વેલના સંક્રમના ચરમખંડને ખાલી કરતાં કરતાં ચરમસમયે જે સંક્રમ થાય તેને સર્વસંક્રમ તરીકે જણાવેલ છે. " जा पगती अण्णं पगतिं संकममाणा णिल्लेवा होति तीसे जो चरिमो संछोभो सो कसिणसंकमो , મતિ ” અન્ય પ્રકૃતિમાં સંક્રમવા દ્વારા જે નિલે ૫ થતી હોય તેનો જે ચરમપ્રક્ષેપ હોય તે સર્વસંક્રમ કહેવાય છે. એટલે સર્વસંક્રમમાં બે વાત જણાય છે– ઉદ્દેલનાના સંક્રમકરણ ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy