SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વમોહનીયના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમસ્વામીના નિરૂપણમાં સ્પષ્ટરૂપે યથાપ્રવૃત્તસંક્રમ જણાવ્યો છે. સંકમકરણગ્રન્થમાં સ્વર્ગસ્થ પૂજ્યપાદપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ યથાપ્રવૃત્તસંક્રમનું જે ખંડન ક્યું છે તે અંગે તેઓ શ્રીમદે સ્વયં જ સ્વજીવનના પ્રાન્તભાગે, શાસ્ત્રાન્તરો જોવાથી સમ્યક્તત્વ જ્ઞાત થવાના કારણે, પોતાના અનાભોગને જાહેર કરીને છવાસ્થતાપ્રયુક્તસ્વપ્રમાદનું નિરાકરણ કર્યું હતું. માટે સંકમકરણગ્રન્થમાં તે ખંડનના સ્થાને કર્મપ્રકૃતિચૂર્ણિની ટીપ્પણનો પાઠ મૂકવો. પ્રશ્ન- પુ. વેદમાં કયા કયા પ્રદેશસક્રમો સંભવે છે? ઉત્તર- વિધ્યાતસકમ તો હોતો નથી. કારણ કે સવેદી અવસ્થામાં સર્વત્ર બંધયોગ્યતા હોવાથી સામાન્યથી યથાપ્રવૃતસકમ હોય છે. અવેદી અવસ્થામાં યથાપ્રવૃતસકમ હોય છે એમ ઉપશમનાકરણચૂર્ણિમાં કહ્યું છે. “અવેય સં સં સમJUL दुआवलियबंध अणुवसंतं तं असंखज्जगुणसेटोएउवसामिज्जति परपगतिए पुण अहापवत्तसंकमणं સંમતિ | પ્રથમાદિગુણઠાણે યથાપ્રવૃત્તસકમ હોય છે. અન્યવેદની જેમ પુ.વેદનો પણ નવમા ગુણઠાણે ઉદવેલનાસંક્રમ કહ્યો છે.આ કઇરીતે સંભવે એ સમજવું આવશ્યક છે, કારણકે ઉદ્વેલનાસંક્રમમાં પરપ્રકૃતિમાં જે દલિક પડે છે તે તો (અસંખ્યકાળચક ભાગારવાળું હોવાથી) ઘણું જ ઓછું હોય છે. યથાપ્રવૃત્ત સંકમથી પડતું દલિક(P/a ભાગહારવાળું હોવાથી) એના કરતાં અસંo ગુણ હોય છે. એટલે જ્યાં સુધી બંધવિચ્છેદ થયો નથી ત્યાં સુધી યથાપ્રવૃતસંક્રમ હોવાથી ઉવલના શી રીતે? બંધવિચ્છેદ બાદતો ઉપર કહ્યા પ્રમાણે યથાપ્રવૃત્તઝમ હોય છે. વળી પુ. વેદોદયાઢ જીવને તો ચરમબંધ અને ચરમખંડનો ચરમપ્રક્ષેપ એક સાથે જ થાય છે. એટલે ત્યારબાદ તો ઉદ્દલના હોવાનો સંભવ જ નથી. એટલે કદાચ એવું હોય કે ઘાત્યમાનખંડમાંથી ઉલના અને અઘાત્યમાનસ્થિતિઓમાંથી યથાપ્રવૃત્તસંક્રમ ચાલુ હોય. અથવા.. પુ. વેદોદયારૂઢ જીવ જે સ્થાને સ્ત્રીવેદનો સત્તાવિચ્છેદ કરે છે તે સ્થાને, અન્યવેદોદયારૂઢ જીવને વેદોદયવિચ્છેદ અને પુત્રવેદબંધવિચ્છેદ થાય છે. અને ત્યારબાદ (સમયગૂન બે આવલિકાએ નહી, કિન્તુ) અંતર્મુહૂર્ત હાસ્યાદિ ૬ સાથે ૫૦ વેદનો સત્તાવિચ્છેદ થાય છે. આ અંતર્મુહૂર્તકાળમાં એનો ઉલનાસકમ સંભવી શકે. જો કે ઉદ્દલનાસંક્રમ યોગ્ય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy