SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેથી ઉપશમશ્રેણિમાં ૨૦ અને ૧૮ નું સંકમસ્થાન અનુક્રમે ૬ માં અને ૪ માં કહેત તેમજ ક્ષપકશ્રેણિમાં ૧૦ નું સંક્રમસ્થાન 8 ના પતદ્મહસ્થાનમાં કહેત. તેમ છતાં, ૫ વેદના ઉત્કૃષ્ટ પ્રદેશસતાના સ્વામી તરક, કમ્મપયડી મૂળ, ચૂર્ણિ અને પંચસંગ્રહમાં, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો જે સ્વામી હોય તે જીવને, જે સમયે સ્ત્રીવેદ સર્વસંકમથી પુ.વેદમાં સંકમે તે સમયે કહેલ છે. જો આનુપૂવી સંક્રમથી હાસ્યાદિ ૬પણ પુ. વેદમાં સંક્રમતા હોત તો, જે સમયે હાસ્યાદિ ૬નો પુ. વેદમાં ચરમપ્રક્ષેપ થાય તે સમયે કહેત, પણ કહેલ નથી. તેથી જણાય છે કે ડાયાદિ ૬ પુ. વેદમાં સંક્રમતા નથી, કિન્તુ સંજવલન કોધમાં જ સંક્રમે છે એવો કષાયપ્રાભૂત, તેની ચૂર્ણિ અને સત્તરિચૂર્ણિનો જ મત છે તેનું આનાથી સૂચન છે. આ માટે સ્ત્રીવેદ ક્ષીણ કે ઉપશાંત થાય ત્યારથી પુરુષવેદની પતદ્મહતાનો નાશ જાણવો. આ બે મતમાં તત્ત્વ કેવલીગમ્ય છે. પ્રશ્ન-૩૭ ઉદ્વેલના સંક્રમમાં એક-એક ખંડ POa નો જ હોય? ઉત્તર-૩૭ /a કાળમાં થનારી ઉદ્વેલનાના ખંડો /વના જ હોય છે. પણ અનિવૃત્તિકરણે અંતર્મુહૂર્ત કાળ માત્રમાં જે ઉવેલના થઈ જતી હોય છે તેના એક એક ખંડો IP/sના પણ હોય છે. એ જ વખતે સ્થિતિઘાત જે થતો હોય છે તેના ખંડો પણV/s ના હોય છે. ઉદવેલના સંક્રમની પ્રરૂપણામાં અંનતરોપનિધામાં દલિકોની અપેક્ષાએ ઉત્તરોત્તર ખંડ જે વિશેષાધિક- વિશેષાધિક કહેલો છે તે પણ P/a કાલીન ઉદ્વેલના માટે જાણવું. અંતર્મુ, કાલીન ઉદ્દલનામાં તો અસંવગુણઅસં૦ ગુણ જાણવું. કેમકે P/s જેટલા ખંડમાં દ્વિગુણવૃદ્મિા અસંસ્થાનો આવી જવાથી અનંતર ખંડના દરેક નિકો પૂર્વખંડના તે તે નિષેકો કરતાં અસંવગુણઅસંહગુણ દલિકો ધરાવતાં હોવાથી આખો ખંડ પણ અસંવગુણ દલિકો ધરાવે છે. અંતર્મુહૂર્તકાલીન આ ઉવેલનામાં ઉવેલાતા ખંડો તે કાળે સ્થિતિઘાતથી ઉકેરાતા જે ખંડો હોય છે તે જ હોય છે એમ માનવું યોગ્ય છે. અન્યથા શ્રેણિમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા બાદ સ્થિતિઘાતને અનુસાર જે સાન્તર સ્થિતિસ્થાનો કહ્યાં છે તેમાં આંતરામાં વચ્ચે વચ્ચે પણ ઉલનાના કારણે મળતાં અચાન્ય સ્થિતિસત્તાસ્થાનો માનવા પડે. તેથી સ્થિતિઘાતમાં તે કાળે P/s, Pa વગેરે આયામવાળા જે જે ખંડો હોય છે તે તે જ ઉનામાં પણ જાણવા. અથવા તો સ્થિતિઘાત અને ઉર્દૂલના બન્ને પ્રવર્તવાની યોગ્યતા હોય ત્યારે જે કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy