SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સજાતીય પ્રકૃતિમાં જ જાય કે નામની ઉદયપ્રાપ્ત સર્વ પ્રકૃતિઓમાં પણ જાય ? ઉત્તર-૩૪ નામની ઉદયપ્રાપ્ત સર્વપ્રકૃતિઓમાં જાય એમ માનવું યોગ્ય લાગે છે. નરકગતિના જઘન્ય પ્રદેશોદયના સ્વામી તરીકે યોગ્યપ્રક્રિયા કરીને નરકમાં ગયેલા સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા જીવને કહ્યો છે, અને એમાં કારણ તરીકે એ દર્શાવ્યું છે કેપર્યાપ્તજીવને કેટલાંક કર્મોવિપાકોદયમાં આવવાથી એનો સ્નિબુસંક્રમ થતો નથી.નહીતર એનો સ્તિબુક્સંક્રમ થઇને દલિક નરકગતિમાં પણ આવવાથી પ્રદેશોદય જઘન્ય ન રહેત .આ સ્તિબુસંક્રમથી અન્યાન્ય પ્રકૃતિઓનું દલિક અધિકૃત પ્રકૃતિમાં ન આવી જાય એ માટે અનેક પ્રકૃતિઓના જઘન્યપ્રદેશોદય સ્વામિત્વ અધિકારમાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવ લેવાનું કહ્યું છે. આના પરથી જણાય છે કે સ્તિબુક્સંક્રમનો વિષય બનેલું દલિકનામકર્મની ઉદયપ્રાપ્તસર્વપ્રકૃતિઓમાં જાય છે, પણ અનુદયપ્રાપ્ત ગતિનામકર્મનું દલિક ફક્ત ઉદયપ્રાપ્ત ગતિનામકર્મમાં જ જાય એવું નહીં. આ જ પ્રમાણે જાતિનામકર્મ વગેરેમાં જાણવું. પ્રશ્ન-૩૫ સ્તિબુકસંક્રમ ક્યારે કઇ પ્રકૃતિનો કયા નિષેકમાં થાય ? ઉત્તર-૩૫ વિપાકોદય વગરની પ્રકૃતિઓના ઉદયસમયમાં રહેલા દલિકોનો વિપાકોદયવાળી સજાતીય પ્રકૃતિઓમાં ઉદયસમયમાં ક્તિબુસંક્રમ થાય છે એમ કર્મપ્રકૃતિ સંક્રમકરણમાં અને સપ્તતિકા ભાષ્યની વૃત્તિમાં જણાવેલું છે. કેટલાક આચાયો એમ કહે છે કે “ ઉદયસમયની ઉપરના એક નિષેકમાં રહેલાં લિકોનો ઉદયસમયમાં સ્ક્રિબુકસંક્રમ થાય છે. '' આ વાત વ્યવહારનયાનુસારે જાણવી. પણ કર્મપ્રકૃતિ વગેરે સાથે વિરોધ હોવાથી આ મત પ્રધાન નથી એ જાણવું. પ્રશ્ન-૬ આનુપૂર્વી સંક્રમ શરુ થાય ત્યારથી હાસ્યાદિ ૬ પુરુષ વેદ માં સંક્રમે છે કે નહીં? ઉત્તર-૩૬ સ્ત્રીવેદ ઉપશાંત કે ક્ષીણ થઇ જાય ત્યારથી પુ.વેદની પતદ્મહતા નષ્ટ થાય છે એવું ન જણાવતાં પુ.વેદના બંધવિચ્છેદ પૂર્વે સમયન્સૂન બે આવલિકાએ એ પતગ્રહતાનો નાશ કહ્યો છે. અને તેથી જ ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદ ઉપશાંત થયે સાતમાં ૨૦ નું અને પાંચમાં ૧૮ નું સંક્રમસ્થાન બતાડયું છે, તેમજ ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદ ક્ષીણ થયે પાંચમાં ૧૦નું સંક્રમસ્થાન દેખાડયું છે. આનાથી જણાય છે કે આનુપૂર્વી સંક્રમમાં પણ પુ.વેદમાં હાસ્યાદિ ૬ સંક્રમે છે. એ જો ન સંક્રમતા હોત તો સ્ત્રીવેદનો સંક્રમવિચ્છેદ થયે પુ.વેદની પતહતા નષ્ટ થઇ જાત સંક્રમકરણ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy