SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવિધિ ૧૨૩ આ દરેક, પૂર્વ સમયે જે સ્થાન હોય એના કરતાં પછીના વિવામિત સમયે એક જેટલું પણ અધિક હોય તો ભૂયસ્કાર કહેવાય. એક જેટલું પણ હીન હોય તો અલ્પતર કહેવાય, સમાન હોય તો અવસ્થિત કહેવાય છે. બંધવગેરે વિવલિત પ્રક્રિયા પૂર્વસમયે ન હોય અને નવી શરુ થતી હોય તો પ્રથમસમયે અવક્તવ્ય કહેવાય છે. આ ગ્રન્થમાં ૮ કરણ અને ઉદયસત્તાનું જે સ્વામિત્વા કહ્યું છે તે જીવવા (જીવસામાન્ય) અંગે હોવાથી ઓઘસ્વામિત્વ છે. આના પરથી ગતિ વગેરે ૧૪ માર્ગણાસ્થાનોમાં જ્યાં જે સંભવિત હોય એ પ્રમાણે પૂર્વાપરના અત્યંત ઉપયોગપૂર્વક વિચારવું. બંધ, ઉદય, ઉદીરણાસંયમ અને સતા. આ પાંચના પ્રકુતિસ્થિતિ-રસ અને પ્રદેશઅંગે જઘન્ય-અજા-ઉત્થ-અનુત્યુ નો પરસ્પર વિદ્ય વિચારશે. એટલે કે જઘ પ્રદેશબંધ હોય ત્યારે સ્થિતિબંધ કેટલો હોય, પ્રદેશઉદય કેટલો હોય, પ્રદેશોદીરણા કેટલી હોય વગેરેનો સંવેધ વિચારવો. આઠ કરણ, ઉદય અને સત્તાના જાણકાર તેમજ આ દશની નિર્જરા (મીણ) કરનાર સંયમમાં ઉદ્યમશીલ મહાત્માઓ એ બધાનો નાશ કરીને અભીષ્ટ મોક્ષસુખને પામે છે. કર્મપ્રકૃતિપ્રાભૂતમાંથી જે પ્રમાણે સાંભળવા-જાણવા મળ્યું છે તે અનુસાર આ ૧૦ દ્વારોને અલ્પબુદ્ધિવાળા મેં (આ. શ્રી શિવશર્મસૂરિએ) વર્ણવ્યા છે. અનાભોગથી આમાં જે કાંઇ વિતથ કહ્યું હોય તેને દષ્ટિવાદના જાણકાર મહર્ષિઓ શુદ્ધ કરીને જણાવે. જેમના શ્રેષ્ઠશાસનના અંશોથી સ્પર્શાવેલા અને વિકસિત થયેલા મતિકિરણ (જ્ઞાનપ્રકાશ) કર્મમલિનતાને દૂર કરે છે તે શ્રમણભગવાન શ્રી મહાવીર સ્વામી મારે શરણભૂત છે. કમ્મપયડી સંગ્રહણીના પદાર્થોના ગુજરાતી ભાષામાં કરેલ આ સંગ્રહમાં અજ્ઞાન-અનાભોગ-પ્રમાદ વગેરેથી પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામી દુક્કડમ્... છે. સમાપ્ત .. ઇતિ શુભમ્
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy