SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમકરણ * પ્રથમ સંઘયણ - સાધિક ૧૩૨ સાગરોપમ કાળમાં યથાસંભવ આને પુષ્ટ કરી પછી મનુષ્યમાં આવે ત્યારે પ્રથમ આવલિકાના ચરમસમયે દેવપ્રાયોગ્ય બાંધતી વખતે પ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમ કરે.' સમ્યક્ત્વી મનુષ્યો આને બાંધતા નથી, પણ પરમાં સંક્રમાવે છે. તેથી આનો ઉપરોક્ત પરાઘાતાદિ ૧૨ સાથે ઉ૦પ્રસંક્રમ કહ્યો નથી. * નરકદ્રિક, તિર્યંચના પૂર્વક્રોડ આયુવાળા ૭ ભવોમાં વારંવાર આ પ્રકૃતિઓ બાંધી પુષ્ટ કરે. ૮મે ભવે મનુ૦માં શીઘ્રક્ષપક થઈ તે તેના ચરમસંક્રમે સર્વસંક્રમથી ઉત્કૃસંક્રમ મળે. ઈશાનદેવલોકમાં આ ૪ને પુષ્ટ કરી મનુ૦માં શીઘ્રક્ષપકને તે તેના ચરમસંક્રમે સર્વસંક્રમથી. } * એકે, સ્થાવર આતપ, ઉદ્યોત મનુ૦૨ → ૭મી નરકમાં અંતર્મુ॰ ન્યૂન ૩૩ સાગરો॰ સમ્યક્ત્વ રહી આ બેને પુષ્ટ કરે. પછી મિથ્યાત્વે જઈ તિર્યંચગતિમાં જાય. ત્યાં પ્રથમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. અહીં ૭મી નરકમાં જ મિથ્યાત્વે જઇ બંધાવલિકા બાદ એટલા માટે ન કહ્યો કે એ બંધને અયોગ્ય હોવાથી યથાપ્રવૃત્ત સંક્રમ મળે નહીં. (૫) જઘન્યપ્રદેશસંક્રમસ્વામી આનો સ્વામી સામાન્યથી ક્ષપિતકર્માંશ જીવ હોય છે. ક્ષપિત કર્યાંશ - એવો જીવ જેણે વિવિધ પ્રક્રિયા દ્વારા ઘણા દલિકોનો ક્ષય કરી સત્તામાં ઓછામાં ઓછા કર્મપુદ્ગલો રાખ્યા છે તે. આની મુખ્ય બધી પ્રક્રિયાઓ ગુણિતકર્માંશથી વિપરીત જાણવી. તેથી P / a ન્યૂન ૭૦ કોકો જેટલો કાળ સૂનિગોદમાં મંદકષાય-મંદયોગમાં રહે. જધ આયુવાળા અપર્યાના ભવો વધુમાં વધુ કરે. સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગે આયુબંધ કરે. ત્યારબાદ ત્રસમાં એવા ભવોમાં જાય કે જ્યાં અસંવારસમ્યક્ત્વ તેમજ અસં॰વાર દેશવિરતિ પામે. તે આ રીતે - નિગોદમાંથી બાપૃથ્વીમાં અંતર્મુ॰ રહી ૧. મનુષ્યભવમાં પ્રથમ આવલિકા એટલે અપર્યા૰ અવસ્થા છે. છતાં દેવપ્રાયોગ્ય બંધ કહ્યો એટલે સમ્યક્ત્વી હોવો જણાય છે. ચૂર્ણિકાર અને વૃત્તિકારોએ વિધ્યાતસંક્રમ પામતી પ્રકૃતિઓમાં સમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યોને પ્રથમસંધયણ વગેરેનો સમાવેશ કર્યો નથી. માટે આ યથાપ્રવૃત્ત સંક્રમથી ઉપ્રદેશ સંક્રમ જાણવો. પણ જો એની બંધઅયોગ્યતા હોવાથી વિસંક્રમ હોય તો ઉ૦પ્રદેશ સંક્રમ આ રીતે જાણવો. ઇશાનમાં ચરમ સંભવિત જધઅંતર્મુહૂર્તે મિથ્યાત્વે આવે. છતાં પ્રથમ સંઘયણમાં ઉત્પન્ન થવાનો હોવાથી એ અંતર્મુ૦માં પ્રથમસંઘ૦ જ બાંધે. ત્યાંથી મનુ૦માં આવી મનુ॰કેતિર્યંચ પ્રાયોગ્ય બાંધતી વખતે પ્રથમ સંઘયણ પણ બંધયોગ્ય હોવાથી યથાપ્રવૃત્તસંક્રમથી ૩૦ પ્રદેશસંક્રમ. ૧૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy