SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે . ઉત્તર ઃ એ આપણને પ્રત્યક્ષ નથી, એ વાત બરાબર. છતાં શાસ્ત્રવચનો દ્વારા અને શિષ્ટપુરુષોના આચરણ દ્વારા એ જાણી શકાય છે. ‘માંસભક્ષણ કરવું નહીં' આ રીતે શાસ્ત્રોમાં નિષેધક વચનો મળે છે એનો અર્થ જ એ કે એ બહુ મોટા અનિષ્ટને ભવિષ્યમાં કરનાર છે, ને એ પાપ વિના શક્ય જ નથી. માટે માંસભક્ષણ અધર્મજનક છે. એમ શિષ્ટપુરુષો પણ એનો જ નિષેધ કરતા હોય છે જે મોટું નુકસાન કરનાર હોય. આનાથી વિપરીત, શાસ્ત્રો જેનો નિષેધ ન કરતા હોય ને શિષ્યો જેનો નિષેધ ન કરતા હોય, એ મોટું નુકસાન કરનાર ન જ હોય, એ સ્પષ્ટ છે, એટલે જ એ અધર્મજનક ન હોય એ પણ સમજાય છે. માટે ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થા આગમ દ્વારા ને શિષ્ટો દ્વારા થયેલી છે, એમાં માંસને અભક્ષ્ય કહ્યું છે-માટે માંસ અભક્ષ્ય છે. ૩૭૦ જો આવું નહીં માનો તો જેમ ગાયનું દૂધ પેય (= પીવા યોગ્ય) છે એમ લોહીને પણ પેય માનવું પડશે, જે મનાતું નથી. વળી ‘જીવના અંગરૂપ હોય તે ભક્ષ્ય' આવા નિયમના આધારે તો તમારે (બૌદ્ધોએ) તમારા ગુરુનું (= બૌદ્ધભિક્ષુનું) માંસ પણ ભક્ષ્ય માનવું પડશે, કારણ કે એ પણ જીવના અંગરૂપ તો છે જ. શંકા - ગાયના લોહીની જેમ ગાયનું દૂધ પણ એના શરીરનો એક હિસ્સો જ છે. એટલે દૂધપીવામાં પણ માંસભક્ષણ કેમ ન કહેવાય ? એટલે માંસાહારત્યાગીએ ગાયના દૂધનો પણ ત્યાગ કરવો જોઈએ. સમાધાન તમારી વાત બરાબર નથી, કારણ કે ગાયનું લોહી કે માંસ અને ગાયનું દૂધ આ બેમાં આસમાનજમીનનો ફરક છે. લોહી-માંસ ગાયના આરોગ્યના આધારભૂત છે, શારીરિક શક્તિના આધારભૂત છે, જીવનના આધારભૂત છે, દીર્ઘકાળ ટકનારા છે, એના વિના જીવન જ નથી.. દૂધ આવું નથી એ સ્પષ્ટ છે. લોહી-માંસ કાઢવામાં ગાયને પીડા થાય છે, દૂધ કાઢવામાં નહીં. દૂધ દોહવાનું બંધ કરી દેવામાં આવે તો નવું નવું બનવાનું અટકી જાય છે ને છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy