SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૧૭ પરિસ્થિતિ હવે ભવિષ્યમાં ક્યારેય સર્જાવાની જ નથી.... એવું પણ છદ્મસ્થ ગીતાર્થ શી રીતે નિર્ણાત કરી શકે ? વળી, પોતાના પૂર્વપુરુષોથી પ્રાપ્ત થયેલી સત્તાના જોરે નહીં, પણ પરિસ્થિતિ જોઈને જ જો વિવક્ષિત આચરણા રદ કરવાની હોય, તો એ સત્તાનો કશો અર્થ રહેતો જ નથી ને માટે જ કોઈપણ ગીતાર્થોને “મારે મારા અનુયાયીઓને આવી સત્તા આપવી જોઈએ એવું ક્યારેય આવશ્યક લાગ્યું નથી-લાગતું નથી. પ્રશ્ન : પરિસ્થિતિ જોઈને રદ કરવાની હોય, એ વાત બરાબર છે. પણ એ પણ, જે પરંપરાને રદ કરવાની સત્તા પૂર્વપુરુષોએ આપેલી હોય, એ પરંપરાને જ. જેને રદ કરવાની સત્તા મળી ન હોય એને તો કોઈપણ સંજોગોમાં રદ કરી શકાય જ નહીં... (માટે સત્તાને પણ આવશ્યક કેમ નહીં માનવાની ?) ઉત્તર : કોઈપણ સંજોગોમાં રદ ન જ કરી શકાય એટલે ? એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ રદ ન કરી શકાય ? પ્રશ્ન : “હા, તો પણ રદ ન જ કરી શકાય? આવો જ અર્થ માનવાનો રહે ને ? ઉત્તર : આવો અર્થ તો સ્પષ્ટ રીતે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે શાસ્ત્રોમાં મૈથુન સિવાયની કોઈપણ બાબતને સર્વથા આચરવી જ (એટલે કે ક્યારેય કેન્સલ ન કરવી) કે સર્વથા ન જ આચરવી એટલે કે નવી આચરણા રૂપે કે કારણિક આચરણા-અપવાદરૂપે ન જ આચરવી) એવું કહ્યું નથી. એમ, શાસ્ત્રમાં આવું માર્ગદર્શન આપ્યું છે કે – अवलंबिऊण कजं जं किं चि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ।। અર્થ - જેમાં થોડું નુકશાન અને ઘણો લાભ હોય એવું જે કાંઈ આચરણ ગીતાર્થો કાર્યને (=પ્રયોજનને તે તે પરિસ્થિતિમાં પણ આરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy