SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૫ બત્રીશી-૩, લેખાંક-૨૧ વર્તમાન ગીતાર્થો પોતાના ઉત્તરાધિકારીઓને એવી સત્તા સોંપી ન જ શકે, કારણ કે ખુદ એમની પોતાની પાસે એવી સત્તા છે જ નહીં. વળી એ બીજા નંબરના ઉત્તરાધિકારીઓ પાસે પણ આમ એ સત્તા ન આવવાથી તેઓ પોતાના ઉત્તરાધિકારીઓને (ત્રીજી પેઢીના ઉત્તરાધિકારીઓને). પણ એ સત્તા નહીં આપી શકે. આનો અર્થ એ થાય કે જે આચરણાને પ્રવર્તાવનારા ગીતાર્થો પોતાના ઉત્તરાધિકારીને એ આચરણાને રદ કરવાની સત્તા આપી ન જાય એ આચરણાઓને, પરિસ્થિતિઓમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય તો પણ શાસનના છેવાડા સુધી કોઈ જ ઉત્તરાધિકારી કેન્સલ કરી શકે નહીં. શું આ વાત બુદ્ધિગમ્ય છે ? ને સંભવિત છે ? પ્રભુવીરના શાસનમાં આજ સુધીમાં આવી સેંકડો આચરણાઓ પ્રવર્તેલી છે. એમાંથી ઢગલાબંધ આચરણાઓ કાળાન્તરે રદ થઈને વળી નવી જ આચરણાઓ પ્રવર્તેલી છે. ને એકવીસ હજાર વર્ષમાં એમાંથી પણ ઢગલાબંધ આચરણાઓ કેન્સલ થઈ જવાની છે. જુની રદ થતી રહે છે ને નવી પ્રવર્યા કરે છે. આ એક વાસ્તવિક્તા છે. જેને કોઈ નકારી શકે એમ નથી. આપણે એક ધારણા કરીએ... ધારો કે નવી પ્રવર્તેલી આવી ૧૦૮ આચરણાઓ હાલ ચાલુ છે. શાસનના અંત સુધીમાં આમાંની એક પણ આચરણા ટકવાની ન હોય એવું પણ બને કે પાંચપચ્ચીશ ટકવાની છે, અને અમુક ૫૦ પરંપરાઓ રદ થવાની છે. એમાંથી પણ કોઈક પરંપરા ત્રીજી પેઢીએ, કોઈક સાતમી તો કોઈક પચ્ચીશમી પેઢીએ રદ થવાની હોય ને કોઈક સોમી પેઢીએ રદ થવાની હોય, તો વર્તમાન ગચ્છાધિપતિઓ પોતાના ઉત્તરાધિકારીને એ પચાસ પરંપરાઓના ઉલ્લેખ સાથે કહી જાય કે આ પચાસ કાળાન્તરે રદ કરવાની છે ને બાકીની આ પચાસ રદ કરવાની નથી. વળી જે પચાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy