SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : કોઈ આચાર્ય ભગવંત જો આવું કહે કે – “નવા આચાર્ય પણ પૂર્વના આચાર્યના નિર્ણયો તો જ રદ કરી શકે જો એમના ગુરુભગવંતે એવું કરવાનો એમને અધિકાર આપ્યો હોય. બાકી પૂર્વપુરુષોએ લીધેલા સાચા નિર્ણયને ઇચ્છા મુજબ બદલી નાખવાનો અધિકાર નથી ગચ્છને મળતો કે નથી ગચ્છાધિપતિને મળતો, તો શું સમજવું ? ઉત્તર : અગીતાર્થ વ્યક્તિ જ્યારે આચાર્ય પદ સુધી પહોંચી જાય ત્યારે કેવા છબરડા વળે એનો આ સચોટ નમૂનો છે એમ સમજવું. જેની પાસે થોડી પણ કોમનસેન્સ હોય એ આવું કથન કરી શી રીતે શકે? વર્તમાન ઈજનેર વગેરે અધિકારીએ જેટલા બાયપાસ નવા કંડારેલા હોય એમાંથી એ જેટલા બાયપાસ અંગે રદ કરવાની સત્તા આપીને જાય એટલા ને જ શું એના ઉત્તરાધિકારી રદ કરી શકે ? બાકીના અંગે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો પણ રદ ન જ કરી શકે ? “એક્સીડંટમાં ગમે એટલા માણસો મર્યા કરે. ગમે એવી ટ્રાફિક સમસ્યાઓ સર્જાયા કરતી હોય, તો પણ આ બાયપાસને મારે કેન્સલ કરી શકાય નહીં, કારણ કે મારા પૂર્વપુરુષ મને એવી સત્તા આપી ગયા નથી.” આવી દલીલ ડાહ્યા માણસોના ગળે ઉતરે કે મૂરખ શિરોમણીઓના ગળે ? એમ પ્રસ્તુતમાં, વર્તમાન ગીતાર્થોએ પરિસ્થિતિને નજરમાં રાખીને જે આચરણાઓ પ્રવર્તાવી હોય, એમાંથી જેટલી આચરણાઓ રદ કરવાની સત્તા પોતાના ઉત્તરાધિકારીઓને આપી જાય એટલાને જ ઉત્તરાધિકારીઓ રદ કરી શકે, એ સિવાયની આચરણાઓ અંગે પરિસ્થિતિ બદલાવાથી ગમે એટલા પ્રશ્નો સર્જાયા હોય, એ આચરણાને પકડી રાખવામાં આરાધકભાવને પ્રાણઘાતક હુમલા લાગતા હોય, તો પણ ઉત્તરાધિકારીઓ કેન્સલ કરી શકે જ નહીં, આવી વાતમાં શું બુદ્ધિમત્તા હોય શકે ? વળી, વિવક્ષિત આચરણાને પ્રવર્તાવનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy