SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૧૩ એ બધી દૂર થઈ જતી હોય (જેમ કે જુના હાઈવેની આસપાસ થયેલી વસ્તી ત્યાંથી સ્થાનાંતર કરીને બાયપાસ (નવા હાઈવે) પાસે ગોઠવાઈ ગઈ હોય] તો વર્તમાન બાયપાસને રદ કરીને પાછો જુનો હાઈવે ધમધમતો કરવો પડે ને ! આમ કોઈ એકાદ વ્યક્તિ કે ગ્રુપ-સમુદાય પોતાની મરજી મુજબ ચાલુ પરંપરાને કેન્સલ નહીં કરી શકતા હોવા છતાં, જો એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય તો (બહુસંખ્યક વિદ્યમાન સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ સાથે વિચાર-વિમર્શ કરીને) એને જરૂર કેન્સલ કરી શકે છે. એ નિશ્ચિત થયું. પ્રશ્ન : પોતાના ગુરુવર્ય વગેરે પૂર્વજોએ લીધેલા નિર્ણયને ઉત્તરાધિકારીઓ આમ કેન્સલ કરી શકે ? ને એ કરવામાં એમને ગુરુદ્રોહ કરવાનો દોષ ન લાગે? ઉત્તર : પરિસ્થિતિ એવી સર્જાયેલી હોય તો જરૂર કરી શકે. પરિસ્થિતિ બદલાય તો પુર્વપુરુષોએ બનાવેલા બાયપાસને ઉત્તરાધિકારીઓ શું કેન્સલ ન કરી શકે ? ને એ કરે એટલા માત્રથી એમને પુર્વપુરુષોનો દ્રોહ કરનારા કહેવાય? ચંડાશુગંડુ પંચાંગનો ઉપયોગ કરવાનો નિર્ણય પોતાના પૂર્વપુરુષોએ કરેલો હતો. વિ. સં. ૨૦૧૪માં વિદ્યમાન આચાર્ય ભગવંતો વગેરેએ એને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો જ હતો ને.... શું એ બધાને ગુન્દ્રોહ કરવાનો દોષ લાગ્યો છે ? ગુરુભગવંતોના કાળમાં જેવી પરિસ્થિતિ હોય એવી જ શિષ્યોના-પ્રશિષ્યોના કાળમાં પણ રહે એવો નિયમ તો નથી. એટલે પરિસ્થિતિ બદલાતા આચરણાઓ બદલવી પણ આવશ્યક બને જ. આજ સુધીમાં આવી રીતે સેંકડો આચરણાઓ બદલાયેલી જ છે ને !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy