SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૦૯ જુનો હાઈવે નકશામાં બતાવેલો છે. અર્થાત્ નકશાનુસારી છે, નવો બાયપાસ (એ પૂર્વે પ્રકાશિત થયેલા) નકશામાં બતાવેલો નથી, અર્થાત્ નકશાનુસારી નથી. માત્ર આટલા જ કારણે એ બાયપાસને છોડીને જુના હાઈવે પર આવી જવાની વાત કરવામાં શું ડહાપણ હોઈ શકે ? એટલે જ, ભાદરવા સુદ પાંચમની સંવત્સરી શાસ્ત્રાનુસારી છે પણ એટલા માત્રથી “શાસ્ત્રાનુસારી પાંચમની આચરણા પર પાછા ફરવું છે, માટે ચોથની સંવત્સરી છોડી દો” આવું કોઈ સુજ્ઞ કહે છે ખરા ? અરે પાંચમ શાસ્ત્રાનુસારી છે, માટે અમે ચોથની સંવત્સરી નહીં કરીએ, પાંચમની જ કરીશું માત્ર આટલા કારણે જો કોઈ પાંચમની સંવત્સરી કરે તો એને “પાંચમ દિને વાંચે-સુણે વિરાધી હોય નિયમા' આવા વચન દ્વારા નિયમા વિરાધક કહ્યો જ છે ને ! આવી ઢગલાબંધ વાતો છે. શાસ્ત્રોમાં પહેલાં આચારાંગની ને પછી ઉત્તરાધ્યયન ભણવાની વાત છે (એટલે તો ઉત્તરાધ્યયન એવું નામ છે. ઉત્તરકાળમાં=પછીના કાળમાં અધ્યયન જેનું કરવાનું છે તે ઉત્તરાધ્યયન). અને આચારાંગજીનું “શસ્ત્રપરિજ્ઞા” અધ્યયન સૂત્ર-અર્થથી શિષ્ય ભણી લે પછી વડીદીક્ષા કરવાનું વિધાન છે. પણ શ્રીદશવૈકાલિક સૂત્રની રચના બાદ ક્રમ બદલાઈ ગયો. એના જીવનિકાય અધ્યયનને શિષ્ય સૂત્ર-અર્થથી ભણી લે પછી વડી દીક્ષા થાય છે. તેમજ ઉત્તરાધ્યયન પહેલાં ભણાવાય છે, ને પછી આચારાંગજી. હવે જો કોઈ એમ કહે કે “શાસ્ત્રોમાં મૂળભૂત રીતે પ્રથમ આચારાંગજીનું અધ્યયન કહ્યું છે એટલે અમે શાસ્ત્રાનુસારી જુની પરંપરા પર પાછા ફરવા માટે પાછો ક્રમ બદલી નાખીશું ને પહેલાં આચારાંગજી ભણશું – ભણાવીશું તો એવું કહેનારને શું ડાહ્યો મનાય ? એવું કરનાર વ્યક્તિ શાસનને લાભ કરી રહ્યો છે ? કે વિખવાદ ઊભા કરવા દ્વારા નુકશાન ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy