SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૨૦૩ પ્રશ્ન : પણ જો એ ગચ્છાધિપતિ એમ કહેતા હોય કે “સંઘ તો મારા પણ માથે જ છે. મારે એનો અનાદર કરવાનો હોય જ નહીં. પણ અન્ય સમુદાયના ગચ્છાધિપતિ કે ગીતાર્થો વગેરે વાસ્તવિક રીતે “સંઘ' રૂપ છે જ નહીં, એ તો હાડકાંનો માળો છે, માટે એમને પૂછવાની કોઈ જરૂર ન હોવાથી પૂછતો નથી,” તો એ બરાબર છે ? ઉત્તર : અન્ય ગચ્છાધિપતિઓ વગેરે સંઘરૂપ નથી, ને હાડકાંના માળારૂપ છે એવું શા માટે ? પ્રશ્ન : કારણ કે એ બધા ભગવાનની આજ્ઞા માનતા નથી. ઉત્તર ઃ આ ભગવાનની આજ્ઞા એટલે શું? પ્રશ્ન : શાસ્ત્રના વચનો એ પ્રભુની આજ્ઞારૂપ છે. ઉત્તર બરાબર, તો શું એ અન્ય ગચ્છાધિપતિઓ વગેરે આગમોને કે આગમને અનુસરીને પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્રોને અપ્રમાણ કહે છે? “અમને આ ગ્રન્થો માન્ય નથી.” એમ કહે છે ? પ્રશ્ન : ના, એમ તો ન કહેતા હોય પણ એવા કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે શાસ્ત્રમતિને મહત્ત્વ આપવાના બદલે બહુમતિને મહત્તા આપતા હોય છે. ખરેખર તો આપમતિ કે બહુમતિ તો નહીં જ, પણ સર્વાનુમતિ પણ ન ચાલે. શાસ્ત્રમતિ જ જોઈએ. આવી શાસ્ત્રમતિને ગૌણ કરતા હોવાથી શું એમ ન કહેવાય? કે તેઓ ભગવાનની આજ્ઞા માનતા નથી. ઉત્તર : ના, એમ કહી શકાય નહીં, કારણ કે “શાસ્ત્રમતિ શબ્દનો સીધેસીધો તો કોઈ અર્થ નથી. થોડા શબ્દોનો અધ્યાહાર કરીને અર્થ કરીએ તો શાસ્ત્રમતિ એટલે ગીતાર્થમતિ તરીકે જ ફલિત થાય છે. આ વાત આગળના લેખમાં આપણે સ્પષ્ટતાપૂર્વક સમજીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy