SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૧૯૩ બહાને પણ આરામ કરવા મળી ગયો... મોસંબીનો રસ પીવા મળ્યો....” આવો વિચાર આવે તો એનું પ્રાયશ્ચિત્ત વધે પણ છે. અને એટલે જ સ્વાથ્ય માટે મોસંબીનો રસ કે કરીયાતું બેમાંથી એક પીવાનું હોય તો કરીયાતું જ પીવું જોઈએ. સકલાગમરહસ્યવેદી સ્વ. પૂ. શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. બિમારી વગેરે વિશેષ કારણ વગર એકાસણા બધાએ કરવાના જ. એક મહાત્માને તાવ આવ્યો. મન ઢીલું પડ્યું “સાહેબ ! આજે તાવ છે નવકારશી કરું ?” “હા, કરો.” તરત જ બીજા મહાત્માને સ્વ. પૂ. શ્રી દાનસૂરિ મહારાજે કહ્યું કે “આ મહાત્માને તાવ આવ્યો છે. માત્ર ઉકાળો ને મગનું પાણી જ આપજો...” એ મહાત્મા પાછા એકાસણાં પર ચઢી જવામાં શું વિલંબ કરે ખરા? કંડરીકમુનિને આપવાદિક રાજમહેલની ગોચરીનું આકર્ષણ જાગી ગયું..... હવે એ છોડવી નથી તો ડાયવર્ઝને એ ડાયવઝન રહેતાં માર્ગ બની ગયો. વળી હાઈવે-મોક્ષમાર્ગ કરતાં એ જુદો છે. માટે એ ઉન્માર્ગરૂપ બની ગયો. ને તેથી તેઓ મોક્ષના બદલે ઠેઠ સાતમી નરક જઈ પહોંચ્યા. પ્રમાદાદિને પરવશ મન ઢીલું પડી જાય કે થોડી પ્રતિકૂળતાના વિચારથી મન ઢીલું પડી જાય ને ઉત્સર્ગ ભિન્ન પ્રવૃત્તિ કરાય તો એ વાસ્તવિક અપવાદ ન રહેતાં અતિચારરૂપ બને છે. એવું પ્રબળ કારણ હોય તો જ અપવાદ સેવી શકાય. ક્યાંક હાઈવે થોડો રફ કે વાંકો ચૂકો આવે કે બીજો રસ્તો સુંવાળો આવે એટલા માત્રથી હાઈવેને થોડો છોડી દેવાય? ૧૦ મીટરના ડાયવર્ઝનથી કામ નભી જવાનું હોય તો ૧૫ મીટરનો ડાયવર્ઝન કોઈ ડાહ્યો ડ્રાઈવર ન અપનાવે. એમ ૧૦ ટકા જેટલા અપવાદથી ચાલતું હોય તો ૧૫ ટકા અપવાદ ન સેવવો. ૧૫ ટકા જેટલો અપવાદ આવશ્યક હોય તો ૨૦ ટકા અપવાદ ન લેવો. આ બધું જયણા કહેવાય છે. ક્યારે, ક્યાં, કેટલો ડાયવર્ઝન જરૂરી છે. એ વિચક્ષણો નક્કી કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy