SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ ડાયવર્ઝન હોય ત્યાં હાઈવે છોડી દેવાનો હોય છે. માટે, ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન કહેવાય છે. પ્રશ્ન : ડાયવર્ઝન હોય ત્યાં બધાં જ વાહનો હાઈવે પરથી ઉતરી જતા હોય છે. એમ કારણ મળે તો શું બધા જ સાધકોએ ઉત્સર્ગ છોડી દેવાનો ? ઉત્તરબધા જ હાઈવે છોડી દે એવો નિયમ નથી. કેટલીક વાર એવું બનતું હોય છે કે કાર વગેરે માટે હાઈવે છોડવો આવશ્યક હોવા છતાં પાદચારી કે સાયકલ, સ્કુટર સવાર માટે એ છોડવો આવશ્યક હોતો નથી. કાળજી રાખે તો તેઓ પસાર થઈ શકતા હોય છે, એટલે જ ડાયવર્ઝન જોવા માત્રથી (=કોઈકને અપવાદ સેવતા જોવા માત્રથી) પોતે હાઈવેને (ઉત્સર્ગને) છોડી દેવાનો હોતો નથી. પણ પ્રબળ કારણ હોય તો જ છોડવાનો હોય છે. વળી હાઈવે છોડે ત્યારથી જ વહેલામાં વહેલી તકે હાઈવે પર પાછા ચડી જવાની ગણતરી હોય છે. રોજ એકાસણાં છોડીને કારણવશાત્ નવકારશી કરવી પડે તો પણ એ જ દિવસથી ક્યારે પાછો એકાસણા પર ચઢી જાઉં એવી ભાવના જોઈએ. તો જ નવકારશી એ વાસ્તવિક અપવાદમાર્ગરૂપ બને તથા, જેવી અનુકૂળતા આવે કે તરત હાઈવે પર ચઢી જવાનું થઈ જ જાય. એમ જેવી શારીરિક અનુકૂળતા થાય કે તરત પાછા એકાસણાં પર (ઉત્સર્ગમાર્ગ પર) ચઢી જવાનું હોવું જોઈએ જો ફરીથી ઉત્સર્ગ (હાઈવે) પર ચઢવાનું ન હોય તો એ અપવાદ (ડાયવર્ઝન) જ ન કહેવાય. આકર્ષણ હાઈવેનું જ રહેવું જોઈએ. ડાયવર્ઝન આકર્ષક હોય તો પણ. એમ સ્વાધ્યાય કરવાનો ન હોય, કોઈ જ કામ પણ નહીં, માત્ર સંથારામાં આરામ, તે અવસરે સંથારો પણ ધાબળો વગેરે નાખીને પોચો સુંવાળો બનતો હોય. આમ ઘણી ઘણી આકર્ષકતા... અનુકૂળતા હોય છે. છતાં એનું આકર્ષણ ન જાગી જાય તો જ સાચો અપવાદ. અને એટલે જ સાચા અપવાદમાં પ્રાયશ્ચિત્ત બહુ અલ્પ હોય છે. પણ જો “ચાલો, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy