SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રભુવીરના જીવ નયસારે મહાત્માઓને માર્ગે ચઢાવ્યા ત્યારે, મુનિ કહે દ્રવ્ય એ માર્ગ. ગન્તવ્ય સ્થલે પહોંચાડનાર મુખ્ય રસ્તો એ દ્રવ્યમાર્ગ છે. આત્માને મોક્ષ સુધી પહોંચાડનાર આરાધનામાર્ગ એ ભાવમાર્ગ છે. દ્રવ્ય માર્ગમાં મુખ્ય છે રાજમાર્ગ-હાઈવે. એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કે દશવિધસામાચારી રૂપ કે ચરણ સિત્તરી-કરણાસિત્તરી રૂપ સાધના માર્ગ કે જે મોક્ષમાર્ગ છે એને હાઈવેનું રૂપક આપીને સ્પષ્ટરૂપે આ લેખમાં સમજવાનો પ્રયાસ કરીએ. લેખાંક ધારોકે હાઈવે પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. સેંકડો કિ.મી. લાંબા હાઈવે પરથી જુદા-જુદા સ્થળે ઉત્તર કે દક્ષિણ તરફ જતા રસ્તા પણ ઘણા આવે. એમાંનો કોઈક રસ્તો હાઈવે કરતાં પણ વધારે સુંદરસુંવાળો-સુગમ જણાય તો પણ એટલા માત્રથી એના પર ઉતરી જવાનું હોતું નથી. બાજુ પર ફંટાતા તે જ રસ્તા પર ઉતરવાની જરૂર હોય છે જે રસ્તો ડાયવર્ઝન રૂપ હોય. પણ તે તે રસ્તાને ડાયવર્ઝન રૂપ બનવા માટે કેટલીક શરતો આવશ્યક હોય છે. (૧) મૂળ રસ્તો ઉખડી ગયેલો હોય, ગરનાળુ તુટી ગયું હોય, આવા કોઈક કારણે હાઈવે પર ગમન અશક્ય હોય ને તેથી જે રસ્તો અસ્તિત્વમાં આવ્યો હોય. (૨) રસ્તો કામચલાઉ હોય, જેવું હાઈવે પર ગમન શક્ય બને કે તરત એ રસ્તો બંધ કરી દેવાનો હોય (૩) રસ્તો આગળ હાઈવેને મળી જતો હોય. સાધના માર્ગમાં હાઈવે એ ઉત્સર્ગના સ્થાને છે અને ડાયવર્ઝન એ અપવાદના સ્થાને છે. એટલે જેમ ડાયવર્ઝન એ પણ માર્ગ જ છે, તેમ અપવાદ એ પણ માર્ગ જ છે. તથા સામાન્ય રીતે હાઈવે પર ગમન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy