SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (લેખાંક | . ૧૯ ગયા લેખમાં છેલ્લે જે શંકા ઊભી થયેલી કે શાસ્ત્ર વચન કરતાં પણ ગીતાર્થ વચન શું વધારે મહત્ત્વનું છે? એનું આ લેખમાં સમાધાન કરવાનું છે ' ને એ સમાધાન છે-હા, શાસ્ત્રવચન કરતાં ગીતાર્થ વચન વધારે મહત્ત્વનાં છે, કારણ કે શાસ્ત્ર વચનો એ થીયરી છે જ્યારે ગીતાર્થ વચનો એ પ્રેક્ટિકલ છે. આ વાતને બરાબર સમજીએ આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે ચિકિત્સાશાસ્ત્રમાં તો ત્રણે કાળ અને બધા દર્દીઓને નજરમાં રાખીને જનરલી જ કયા રોગમાં કઈ કઈ દવા લાભકર્તા બની શકે એનું વર્ણન કર્યું હોય છે. પણ એટલા માત્રથી તે તે દરેક દવા તે તે રોગના દરેક દર્દીને અપાતી હોતી નથી. દર્દીની તાસીર, દિનચર્યા, રોજિંદો ખોરાક, અન્ય રોગો, એ રોગોની દવાઓ, નિવાસસ્થાનનું પ્રાકૃતિક વાતાવરણ, માતાપિતાના શરીરની તાસીર... વગેરે અનેક પરિબળોને નજરમાં રાખીને દવા આપવાની હોય છે. આ બધા અલગ-અલગ પરિબળોના કરોડો ભાંગા થતા હોય છે જેનું દરેકનું વર્ણન શાસ્ત્રમાં શક્ય હોતું જ નથી. એટલે ચરક સંહિતા વગેરે ચિકિત્સાશાસ્ત્રોમાં માત્ર જનરલ નિયમો જ જણાવ્યા હોય છે. આ થીયરી છે. જે ચોક્કસ દર્દીની દવા કરવાની છે એના શરીરની તાસીર, ભૂતકાલીન રોગો, વર્તમાનમાં પણ અન્ય ક્યા કયા રોગો છે? એની કઈ કઈ દવાની શું શું અસર છે ? આવા બધા જ પરિબળો દ્વારા વિરક્ષિત દર્દીનો કયો ભાંગો છે એ પિછાણવાનું કામ વૈદ કરે છે. ને એ પિછાણીને વૈદે ચોક્કસ દવાનો નિર્ણય કરવાનો હોય છે. એ માટે વૈદક શાસ્ત્રો, આજ સુધીનો પોતાનો અનુભવ અને દર્દી પ્રત્યેની કરુણાના પ્રભાવે થતી સ્કુરણા આ બધાના પ્રભાવે વૈદ યોગ્ય દવાનો નિર્ણય કરે છે... ક્યારેક કોઈક દર્દીના પરિબળો એવા હોય છે કે વૈદકગ્રન્થોમાં કહેલ હકીકતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy