SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથાર તરીકે તહત્તિ કરીને શ્રદ્ધા કરીએ તો આપણને તો સમ્યકત્વનો લાભ ૧ છે. ઊલટું ગ્રન્થકારે કહ્યું છે એમ, સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતોન વચનને અતથાકાર કરવામાં મિથ્યાત્વ છે, અભિનિવેશ-કદાગ્રહ છે, મારે નુકશાન છે. આ વાત તર્કસંગત પણ છે, કારણકે એમાં (૧) “સંવિગ્ન ગીતાર્થના વચનોને અવિકલ્પ તહત્તિ કરવા” એવા વ્યાપક-મહત્ત્વન શાસ્ત્રીયકથનની અશ્રદ્ધા છે. (૨) ધારો કે અવિકલ્પ તહત્તિ ન કરવાને હોય તો એનો અર્થ એ થાય કે અગીતાર્થોએ સંવિગ્ન ગીતાર્થના વચનો પોતાની બુદ્ધિથી ચકાસવાના.. જેટલા જચે એટલા સ્વીકારવાના. બાકીનાનો અસ્વીકાર... આનો અર્થ એ થયો કે ગીતાર્થની બુદ્ધિ કરતાં પણ અગીતાર્થની બુદ્ધિને પ્રધાન કરવી. આ પણ મોટું મિથ્યાત્વ જ છે ને ! (૩) અગીતાર્થોની બુદ્ધિ શાસ્ત્રપરિકર્મિત હોતી નથી. એટલે સાહજિક બુદ્ધિથી નિર્ણયો કરવાના રહે. અને સાહજિક બુદ્ધિ તો “મુંડે મુંડે મતિર્ભિન્ના એટલે આચારમાર્ગનું કોઈ એક ચોક્કસ સ્વરૂપ જ નહીં રહે, જેને જે ઉચિત લાગે તે કહે-તે કરે. પછી અનુશાસન જેવું જ ન રહેવાથી શાસનમાં ભારે અરાજકતા. (૪) ગીતાર્થ ગુરુભગવંતોએ આપેલા માર્ગદર્શનમાં એક અશ્રદ્ધા કરેએટલે બીજાઓ પણ પછી અશ્રદ્ધા કરે, આવા બધા અનેક દોષ હોવાથી ગીતાર્થ ગુરુભગવંતો જે કહે એને ન સ્વીકારવામાં મિથ્યાત્વ છે એ વાત દીવા જેવી ચોખ્ખી છે. આની સામે ગીતાર્થોએ કહેલી વાત કદાચ ક્યારેક અતત્ત્વભૂત હોય તો પણ એની શ્રદ્ધા કરવામાં સમ્યકત્વ કહ્યું છે. ને એની શ્રદ્ધામાં સમ્યકત્વ છે, એટલે એના પાલનમાં દેશવિરતિ-સર્વવિરતિ પણ છે જ. આનો સૂચિતાર્થ બહુ મહત્ત્વનો છે. શ્રી દ્વાદશાંગીમાં કરોડો તત્ત્વો કહેલા છે. (એમાં સાક્ષાત્ શબ્દદ્વારા પણ કહેલા હોય કે એ વિના માત્ર સૂચિતાર્થરૂપે પણ સૂચવેલ હોય..) તે તે દરેક તત્ત્વને એના કરતાં અલગરૂપે કહેવું - માનવું એ અતત્ત્વ છે. એટલે આવા અતત્ત્વ પણ કરોડો છે. શ્રી દ્વાદશાંગીમાં કહેલા કરોડો તત્ત્વોમાંનું જ એક તત્ત્વ છે સંવિગ્ન ગીતાર્થની વાતોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy