SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૧૮ ૧૭૭ - - સંવિગ્ન ગીતાર્થ જે કહે એને વિના વિકલ્પ તહત્તિ કરવું એનો આ રહસ્યાર્થ છે. એટલે એને પ્રમાણ માનીને સ્વીકારવાનું તો છે જ. વળી પોતાનો વિશેષ ક્ષયોપશમ હોય તો ગીતાર્થ ગુરુભગવંતો આવું ખાચરણ શા માટે ફરમાવી રહ્યા છે ? એની યુક્તિઓ પણ તપાસવી, જો એવી યુક્તિઓ મળે તો એ યુક્તિઓથી પણ એ વાતોને દઢ કરવી. ક્યારેક યુક્તિઓ ન મળે કે વિરુદ્ધ મળે તો પણ “પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ ન્યાયે ગીતાર્થોની વાતને તો સ્વીકારી જ લેવી ને મને જ્ઞાનાવરણ કર્મના ઉદયના કારણે વિપરીત યુક્તિ ભાસે છે.વસ્તુતઃ આ યુક્તિઓ નથી પણ યુક્તિઆભાસ છે' વગેરે વિચારવું ને આપણને ભાસતી યુક્તિઓને મહત્ત્વ ન આપવું, તો વિના વિકલ્પ તહત્તિ કર્યું કહેવાય. પ્રશ્નઃ “શ્રાવકને કેટલું અવધિજ્ઞાન થઈ શકે ? એ અંગે ગુરુગૌતમ સ્વામી જેવા ૧૪ પૂર્વધર - દ્વાદશાંગીના રચયિતા પણ થાપ ખાઈ ગયા... તો મહાત્માઓ ભલે સંવિગ્ન ગીતાર્થ છે. છતાં છદ્મસ્થ પણ છે જ. આ છદ્મસ્થતા કંઈક વૈતથ્ય પણ લાવી જ શકે છે. તો ક્યારેક અહિતકર હોવાથી ત્યાજ્ય એવા પણ આચરણને હિતકર સમજી ઉપાદેય જણાવી દે એવું બની શકે છે. તો એ વખતે પણ અવિકલ્પન તહત્તિ કરવામાં દોષ ન લાગે ? ઉત્તર : ના, ન લાગે. આપણને તો અવિકલ્પ તહત્તિ કરવામાં લાભ, લાભ ને લાભ જ છે. અને તહત્તિ ન કરીએ તો જ દોષ છે. એ શી રીતે ? આ રીતે- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી કમ્મપયડિસંગ્રહણી વગેરે ગ્રન્થોમાં જણાવ્યું છે કે “ભગવદુપદિષ્ટ તત્ત્વની શ્રદ્ધામાં સમ્યકત્વ છે ને ક્યારેક ગુસનિયોગથી (ગીતાર્થ ગુરુભગવંતદ્વારા મળેલી એવી કોઈ સમજણના કારણે) અનુપદિષ્ટ તત્ત્વની શ્રદ્ધામાં પણ સમ્યકત્વ છે.” એટલે, ક્યારેક ગીતાર્થ ગુરુભગવંત દ્વારા અમુક દેશકાળાદિ પરિસ્થિતિમાં જણાવાતું આચરણ કદાચ સર્વજ્ઞ ભગવંતને ઉચિત ન જણાતું હોય.. ને તેથી વસ્તુતઃ હેય હોય તો પણ આપણે એને ઉપાદેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy