SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નજરમાં લઈને આચરણમાં કાંઈ પણ ફેરફાર વગેરે કરે તો એ વખતે શાસ્ત્રપાઠ માગવાનો હોતો નથી. આમ, શ્રીધર્મરત્નપ્રકરણમાં કલ્પપ્રાવરણ, તિથિનો ફેરફાર વગેરે જે ઉદાહરણો જીતવ્યવહાર તરીકે માર્ગરૂપ બનેલા આચરણોના આપેલા છે તે અસંગત ન ઠરી જાય એ માટે ‘સામાન્યથી શાસ્ત્રનિષિદ્ધ આચરણ પણ, તેવી પરિસ્થિતિના કારણે સંવિગ્નગીતાર્થોએ પટ્ટક વગેરે દ્વારા આચરણમાં મૂકેલું હોય તો એ માર્ગરૂપ બને જ છે,' એમ માનવું આવશ્યક છે. : (૩) અનેક શાસ્ત્રવચનોનો નિષ્કર્ષ ઃ અનેક શાસ્ત્રવચનો પણ આ નિષ્કર્ષ પર પહોંચવા પ્રેરે છે કે જે આચરણા શાસ્ત્રનિષિદ્ધ હોય તે, તેવા દેશ-કાળ વગેરેને લક્ષમાં લઈને ગીતાર્થ સંવિગ્નોથી આચરવામાં આવે તો ‘જીત’ રૂપ બને છે, વિરાધનારૂપ નહીં. જેમ કે આચરણમાં ફેરફાર કરવાનો હોય ત્યારે કયા આગમવચન સામે જોવું ? એ માટે ધર્મરત્નપ્રકરણના વૃત્તિકારે કહ્યું છે કે - दोसा जेण णिरुज्झन्ति, जेण खिज्जंति पुव्वकम्माई । सो सो मुक्खोवाओ रोगावस्थासु समणं व ॥ અર્થ : જેનાથી દોષો દૂર થતા જાય, જેનાથી પૂર્વે બાંધેલા કર્મોનો નાશ થતો જાય તે બધું મોક્ષના ઉપાયરૂપ છે, એટલે કે માર્ગરૂપ બને છે, જેમકે રોગી અવસ્થામાં જે જે ચીજથી રોગ મટતો જાય એ બધું ઔષધરૂપ બને છે. આમાં સ્પષ્ટ છે કે - ‘વિવક્ષિત નવા આચરણનું નિષેધક કોઈ શાસ્ત્રવચન મળતું હોય તો એ આચરણ માર્ગરૂપ બને નહીં' એવું વૃત્તિકારે કહ્યું નથી. ત્યારબાદ ત્યાં મૂળગ્રન્થમાં જીત આચારરૂપ બનેલા અનેક આચરણોને દર્શાવીને છેવટે કહ્યું છે કે, અથવા વધું શું કહેવું ? जं सव्वहान सुत्ते पडिसिद्धं नेव जीववहहेऊ । तं सव्वंपि पमाणं चारित्तधणाणमणियं च ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy