SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રહ્યા છો, માટે ગુરુદ્રોહી છો.. શાસ્ત્રોમાં તો આનો નિષેધ મળે છે.. ને તમે કરી રહ્યા છો, માટે તમે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છો.. જિનાજ્ઞાભંજક છો.. વિરાધક છો, મિથ્યાત્વી છો..'' વગેરે કશું કહી શકાતું નથી, એ સ્પષ્ટ છે. તથા આવો ફેરફાર કરવાનો પ્રસંગ આવે ત્યારે ‘આ તમે જે ફેરફાર કરવા માગો છો.. એનો શાસ્ત્રપાઠ આપો..’ એમ શાસ્ત્રપાઠ માગવાનો હોતો નથી, કારણ કે પૂર્વે પણ જે-જે ફેરફાર થયેલા છે, એ બધાના શાસ્ત્રપાઠ મળતા જ નહોતા.. જો શાસ્ત્રપાઠ મળતો જ હોય તો તો એ શાસ્ત્રવચનને અનુસરીને જ એ પ્રવૃત્તિ ચાલુ જ હોય, પછી ફેરફાર કરવાનો ક્યાં પ્રશ્ન આવે ? તથા એ તો શાસ્ત્રવચનને અનુસરનારી હોવાથી માર્ગનો પ્રથમ પ્રકાર જિનવચનરૂપ જે કહ્યો છે. એમાં જ સમાવિષ્ટ થઈ જાય.. શિષ્ટાચારે પણ જિનવચનને જ અનુસરવાનું હોય તો એ સ્વતંત્ર બીજા પ્રકારના માર્ગ તરીકે રહે જ શી રીતે ? એટલે સ્પષ્ટ જ છે કે બીજા માર્ગ તરીકે જે શિષ્ટાચાર કહેવો છે તેના શાસ્ત્રમાં વચનો મળતા નથી જ હોતા. ને તેથી એ અંગે શાસ્ત્રપાઠ માગવો એ જિનવચનોના મર્મનું અજ્ઞાન છે, મૂઢતા છે. સીધી જ વાત છે. જો શાસ્ત્રમાં જે કહ્યું છે એ જ ગીતાર્થો દ્વારા કરાઈ રહ્યું હોય તો એ અંગે દેશ-કાળાદિને અનુસરીને પરંપરા ફેરવી... નવી સામાચા૨ી પ્રસ્થાપિત કરી-પ્રવર્તાવી' વગેરે કહેવાનું જ ક્યાં રહે ? ‘શાસ્ત્રપાઠ આપો.. શાસ્ત્રપાઠ આપો...' આવી બૂમરાણ મચાવનારા શું આ જાણતા નહીં હોય ? શંકા - પણ જો શાસ્ત્રો જોવાના જ નહીં હોય તો તો જેણે જે ફેરફાર કરવો હોય એ કરી દેશે.. બધું જ જીતવ્યવહાર.. તો પછી આરાધના ને વિરાધના જેવો કોઈ ભેદ જ નહીં રહે. સમાધાન - ભલા આદમી ! ગમે તેને ફેરફાર કરવાનો થોડો અધિકાર અપાયેલો છે ? સંવિગ્નગીતાર્થોને જ આવો અધિકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy