SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૧૬ ૧પ૭ હતી તો ખરી જ કે (૧) આજ સુધી તેઓ જેનો નિષેધ કરતા હતા તે હવે કરી રહ્યા છે. છતાં તેઓ માટે “પોતે અત્યાર સુધી જે કરતા હતા અને કહેતા હતા તેનાથી તેઓ વિરુદ્ધ કરનારા અને કહેનારા છે.” એવું કહેવાયું નથી. (૨) એમના ગુરુભગવંતોએ તો આચારાંગજીના એ અધ્યયન પૂર્વે કોઈને વડી દીક્ષા આપી જ નહોતી. અને તેઓએ આપવાની શરુ કરી. છતાં તેઓ “ગુરુદ્રોહી' કહેવાયા નથી.. (૩) શાસ્ત્રપાઠ તો આચારાંગજીના એ અધ્યયનની પૂર્વે વડી દીક્ષાનો નિષેધ કરનાર મળતો હતો. ને છતાં તેઓ શાસ્ત્રવિરુદ્ધ કરનારા, જિનાજ્ઞાભંજક, વિરાધક, મિથ્યાત્વી, અનવસ્થા ચલાવનારા... વગેરે કહેવાયા નથી. શંકા - આ ફેરફાર કરનારા ૧૪ પૂર્વધર – ૧૦ પૂર્વધર - પૂર્વધર - યુગપ્રધાન. જેવા હતા. તેઓ આવા ફેરફાર કરી શકે. બીજાઓ નહીં. સમાધાન - ના, શાસ્ત્રોમાં “૧૪ પૂર્વધર વગેરે જ' એમ નથી કહ્યું.. પણ “સંવિગ્ન ગીતાર્થ' કહ્યા છે. એમના આચરણને શિષ્ટાચાર રૂપે – માર્ગરૂપે સ્વીકારાયો છે અને ગીતાર્થ તરીકે પણ માત્ર પૂર્વધરોને જ નથી સ્વીકારાયા.. પણ જુદી-જુદી કલ્પના એ માટે અપાયેલી જ છે. જેમકે દૃષ્ટિવાદના જાણકાર હોય તે ઉત્કૃષ્ટ ગીતાર્થ-કલ્પવ્યવહારસૂત્રના જાણકાર હોય તે મધ્યમગીતાર્થ... નિશિથસૂત્રના જાણકાર હોય તે જઘન્ય ગીતાર્થ. એટલે વર્તમાનમાં પણ સંવિગ્નગીતાર્થ મહાત્માઓને દેશકાળ વગેરેની એવી કોઈ વિશેષ પરિસ્થિતિ નિર્માણ થયેલી લાગે ને તેથી તેઓ કોઈ ફેરફાર કરવા માગે તો તેઓને પણ, “તમે આજ સુધી જુદું કરતા હતા ને હવે જુદું કરી રહ્યા છો. તમે આજ સુધી જેનો નિષેધ કર્યો હતો તે હવે કરી રહ્યા છો. માટે તમે અસ્થિર મનના છો. તમારા ગુરુભગવંતો વગેરે કરતાં તમે અલગ પ્રકારે કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy