SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવેલી જ હોય.. આ બધું ઋદ્ધિગારવ કહેવાય.) શાતાગારવ = શરીરની સુખશીલતા. મારાથી કષ્ટ સહન થતું નથી. હું વિહાર નહીં કરું... સંથારામાં ધાબળો નાખી એને પોંચો સુંવાળો કરીશ.. હાથપગ-મુખ ધોયા વગર મને નહીં ચાલે. આ બધું શાતાગારવ છે. આ ગારવરૂપ મોહથી શ્રાદ્ધ મમત્વાદિ થાય છે. માટે એ કલ્પકાવરણાદિને તુલ્ય નથી, પણ અલગ પ્રકારનું જ છે. વળી દરેક પ્રવૃત્તિમાં પ્રાણ તો આંતરિક ભાવ જ હોય છે. એટલે કલ્પપ્રાવરણાદિમાં સંયમપાલનનો ભાવ છે, જ્યારે શ્રાદ્ધમમત્વાદિમાં ગારવરૂપ મોહનો ભાવ છે. તેથી પ્રાણરૂપ આ આંતરિક ભાવમાં આસમાન-જમીનનો ભેદ હોવાથી આ બન્ને પ્રકારની પ્રવૃત્તિઓને માણેક અને કાચની જેમ તુલ્ય માની શકાતી નથી. તેથી, “કલ્પપ્રાચરણાદિ જો પ્રમાણ છે તો શ્રાદ્ધમમત્વાદિ પણ પ્રમાણ છે' અથવા, “શ્રાદ્ધમમત્વાદિ જો અપ્રમાણ છે તો કલ્પપ્રાચરણાદિ પણ અપ્રમાણ છે” એમ કહી શકાતું નથી. અસંવિગ્નોએ પોતાના મોહપ્રેરિત આચરણોથી વિશ્વની કેવી વિડંબણા કરી છે એ હવે ગ્રન્થકાર જણાવે છે – અયોગ્ય આચારોને પણ, આ તમારો કુલાચાર છે, માટે છોડશો નહીં. એ છોડશો તો તમે પરલોકમાં દુઃખી થશો. અથવા તમારા બાપ-દાદાઓ અમારા ગુરુના જ ભક્ત હતા. એટલે અમારા ગચ્છને-સમુદાયને પકડી રાખવો એ તમારો કુલાચાર છે. બીજાને પકડવા જશો તો દુર્ગતિમાં જશો. એ સિવાય પણ સ્વગચ્છના ભક્ત શ્રાવકોને અન્ય સાધુઓનો સંગ કરતા વારવા.. (બીજાઓને વંદન કરવું નહીં, એમનું વ્યાખ્યાન સાંભળવું નહીં, એમનું સાહિત્ય વાંચવું નહીં.. વગેરે રૂપે સંગનો નિષેધ કરવો). સાધુઓએ પણ જિનપૂજા કરી શકાય-કરવી જોઈએ. સાધુઓને દાન તો દોષિત-નિર્દોષ. જે કાંઈ આપીએ એમાં લાભ જ લાભ છે. આવું બધું આચરણ-ઉપદેશ અસંવિગ્નો કરે છે, ને એનાથી વિશ્વની કેવી વિડંબણા કરે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy