SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૧૬ ૧૫૩ શંકા - શાસ્ત્રોમાં કલ્પપ્રાચરણાદિ (કપડો ઓઢવો વગેરે) પણ નિષિદ્ધ છે ને શ્રાદ્ધ મમત્વાદિ (શ્રાવકો પર મમત્વ કરવું વગેરે) પણ નિષિદ્ધ છે. પણ તમે જ આગળ કહી ગયા છે કે કોઈનો સર્વથા નિષેધ નથી, કે કોઈનું સર્વથા વિધાન નથી. ઉત્સર્ગ નિષિદ્ધ હોય એ પણ અપવાદ વિહિત બની જ શકે છે. તો આ કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ એ બન્ને આચરણો સમાન જ થયા. (બન્નેના નિષેધમાં અનેકાન્ત છે.) તો આ બેમાં તમે શું ભેદ જુઓ છો કે જેથી એકને સંવિગ્ન આચરણરૂપે પ્રમાણ કહો છો ને બીજાને અસંવિગ્ન આચરણરૂપે અપ્રમાણ કહો છો ? સમાધાન - આમાંનું પ્રથમ કલ્પપ્રાચરણાદિ આચરણ જ્ઞાનથી થયું છે, જ્યારે બીજું શ્રાદ્ધમમત્વાદિ આચરણ મોહથી થયું છે. આ બન્ને આચરણો વચ્ચે આ મુખ્ય ભેદ જાણવો. આશય એ છે કે દેશકાળ વગેરે પરિસ્થિતિ એવી નિર્માણ થયેલી છે કે કલ્પપ્રાચરણાદિ વગર સંયમપાલન દુષ્કર બન્યું છે, કલ્પપ્રાવરણાદિ દ્વારા એ સુકર રહે છે. સંવિગ્નગીતાર્થોને પોતાની ગીતાર્થપ્રજ્ઞામાં આવું જણાવાથી તેઓએ કલ્પપ્રાવરણાદિ આચરણ કર્યું-પ્રવર્તાવ્યું. આમાં શરીરની સુખશીલતા વગેરે રૂપ પ્રમાદની બુદ્ધિ કોઈ હતી નહીં - છે નહીં. માટે આ આચરણ જ્ઞાનથી થયેલું છે. જ્યારે શ્રાદ્ધમમત્વ વગેરે રૂપ બીજા પ્રકારનું આચરણ કાંઈ સંયમપાલન માટે આવશ્યક બનેલું હોતું નથી. તેથી એ કાંઈ જ્ઞાનથી થયું હોતું નથી. શંકા - જો એ જ્ઞાનથી નથી થયું, તો શાનાથી થયું છે ? સમાધાન - રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવરૂપ મોહથી એ થયું હોય છે. આમાં રસગારવ = જીભની લોલુપતા. ઋદ્ધિગારવ = ઉપધિ, શિષ્યો, ભક્તો વગેરેના ઐશ્વર્યની લોલુપતા. (મારે આવી અપ ટુ ડેટ ઉપધિ જોઈએ. આટલા શિષ્યો છે. આવા આવા શ્રીમંતો મારા ભક્ત છે. જ્યાં જાઉં ત્યાં બે ચાર કાર તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy