SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અલબત્ પંચમકાળમાં બે પ્રકારના આચરણો જોવા મળે છે. શિષ્ટાચરણભૂત હોવાથી પ્રમાણરૂપ અને એવા ન હોવાથી અપ્રમાણરૂપ. ગ્રન્થકાર આ બન્નેના ઉદાહરણ આપે છે. ૧૫૨ જે પ્રવૃત્તિઓ આગમશાસ્ત્રમાં જુદા જ પ્રકારે કહેલી જોવા મળે છે અને સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓની પ્રવૃત્તિ એના કરતાં જુદા જ પ્રકારે જોવા મળે છે. જેમકે ભિક્ષાચર્યા માટે કપડો ઓઢીને જવું, અગ્રાવતારનો ત્યાગ, કટીપટ્ટકને જુદી રીતે ક૨વો, ઝોળીને ગાંઠ મારવી, કાપ કાઢવા માટે પરાત વાપરવી, તુંબડામાંથી ત૨૫ણી બનાવીવાપરવી, એને પકડી શકાય એ માટે કાંઠો બનાવવો, કાંઠામાંથી પકડવા માટે દોરી લગાવવી... વગેરે. શાસ્ત્રોમાં આવું કરવાની ક્યાંય સંમતિ નથી આપી, ઉપરથી નિષેધ દર્શાવ્યો છે. ને છતાં આ પ્રવૃત્તિઓ શિષ્ટોએ આચરેલી હોવાથી પ્રમાણભૂત મનાય છે. એને દૂષિત ઠે૨વાતી નથી. આનાથી જે વિપરીત પ્રવૃત્તિઓ હોય છે - અર્થાત્ અસંવિગ્નો કે અગીતાર્થો જે આચરે છે - એ પ્રમાણભૂત બનતી નથી. આવું આચરણ એ અપવાદરૂપ નથી બનતું પણ પ્રમાદરૂપ બને છે. જેમકે આ અમારો ભક્ત શ્રાવક છે..’ ‘તમારે અમારી પાસે જ આવવું... અમને જ વંદનાદિ કરવા.. અમારાં જ વ્યાખ્યાનો સાંભળવા.. પૈસા ખરચીને કાંઈ પણ સુકૃત કરવું હોય તો અમારી નિશ્રામાં જ કરાવવું.. અમારી જ ભક્તિ ક૨વી..’ વગેરે રૂપે શ્રાવકો પર મમત્વ કરવું. શરીરની શોભા કરવી, એ માટે અશુદ્ધ ઉપધિ-ગોચરી વગેરે ગ્રહણ કરવા, પોતાનું હંમેશ માટેનું સ્થાન બનાવવું, પથારી વાપરવી, ઓશિકું વા૫૨વું... વગેરે વગેરે. આવાં આચરણો પ્રમાદરૂપ હોવાથી પ્રમાણ બનતા નથી. અર્થાત્ કોઈને આવું બધું કરતા જોઈને બીજાએ ‘આ પણ માર્ગ છે, માટે આપણે પણ આવું કરવું જોઈએ' આ રીતે એને અનુસરવાનું હોતું નથી. પણ ઉપરથી, ‘આ તો પ્રમાદરૂપ છે, માટે આત્માર્થી એવા મારે આવું કરવું નહીં..’ એમ એને ત્યાજવાનું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy