SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક, ૧૬ ગયા લેખમાં આપણે જોયું કે કોઈ પણ વિધિ કે નિષેધ અપવાદપદીય નિષેધ કે વિધિથી સંવલિત જ હોય છે. એટલે કે સામાન્યથી જે નિષિદ્ધ છે – શાસ્ત્રમાં સ્પષ્ટ અક્ષરોથી જેનો નિષેધ કરવામાં આવ્યો છે – એ પણ, એવી ચોક્કસ પરિસ્થિતિ નિર્માણ થાય તો નિષિદ્ધ હોતું જ નથી, પણ અપવાદપદીય વિધિથી સંવલિત હોય છે. જો આવું માનવામાં ન આવે તો, એ શાસ્ત્રવચન નિષેધનું એકાન્તપ્રતિપાદક બની જવાથી જિનવચનરૂપ રહે જ નહીં. મિથ્યાવચન જ બની જાય. એટલે જ, જે પ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અજ્ઞાત હોય (કોણે શરુ કરી? ક્યારે શરુ કરી ? શા માટે શરુ કરી? વગેરે અજ્ઞાત હોય) એવી પણ જે પ્રવૃત્તિ પરંપરામાં આવેલી હોય અને જે શાસ્ત્રમાં નિષિદ્ધ દેખાતી ન હોય તેવી પ્રવૃત્તિને શિષ્ટાચાર પણ પ્રમાણ છે' એ કારણે જ પ્રાજ્ઞપુરુષો સ્વમતિથી દૂષિત ઠેરવતા નથી. પ્રથકારે અહીં, પ્રવાહધારાપતિત પ્રવૃત્તિ એમ કહ્યું છે. એનાથી એ સૂચિત થાય છે કે “એ પ્રવૃત્તિને શરુ કરનારા અશઠ સંવિગ્નગીતાર્થ હતા કે નહોતા ? તેનો હાલ નિર્ણય નથી. એમ સમાનકાલીન અન્ય ગીતાર્થોને એ પ્રવૃત્તિ માન્ય હતી કે નહીં ? એનો પણ હાલ નિર્ણય નથી. એટલે કે તત્કાલીન શિષ્ટોને સંમત હતી કે નહીં ? એમાં સંદેહ છે. તેમ છતાં, એમાં સ્વમતિથી કાંઈ ને કાંઈ વાંધા-વચકા ઊભા કરી એને દૂષિત ઠેરવવું એ જો ન્યાયસંગત નથી, તો જે શિષ્ટાચરણ માટે શિષ્ટપુરુષોને સંમત હોવાનો નિર્ણય છે તેને અપ્રમાણ કહીને દૂષિત ઠેરવવું એ શી રીતે ન્યાયી ઠરે? શ્રી ધર્મરત્નપ્રકરણ (૯૯)માં કહ્યું છે કે – “સૂત્રમાં જે વિહિત નથી, તેમજ પ્રતિષિદ્ધ પણ નથી, અને ગીતાર્થજનમાં ચિરકાળથી રૂઢ થયેલું છે તેને પણ “આ આચરણમાં આવા આવા દોષો રહેલા છે” ઈત્યાદિ રીતે સ્વમતિથી દોષોની કલ્પના કરીને ગીતાર્થો દૂષિત ઠેરવતા નથી.” માટે શિષ્ટાચારને અપ્રમાણ માનવો એ યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy