SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય છે. ઉત્સર્ગે જેનું વિધાન કે નિષેધ હોય એનો અપવાદે નિષેધ કે વિધાન હોય છે. જે વચન આ બેમાંથી એકને જ જણાવનાર હોય છે એ નયવાક્ય બની શકે.. પણ પ્રમાણવાક્ય નહીં. પ્રમાણવાક્ય બનવા માટે તો ઉત્સર્ગ-અપવાદ ઉભય ઘટિત પરિપૂર્ણ અર્થનું બોધકત્વ તે તે સૂત્ર વચનમાં હોવું જોઈએ. એટલે જ તે તે શાસ્ત્રો-સિદ્ધાંતો નિશ્ચયથી પ્રમાણભૂત બને એ માટે એના પર સ્યાદ્વાદની-અનેકાન્તવાદની મહોર છાપ આવશ્યક છે એમ અન્યત્ર ગ્રન્થોમાં કહેલ છે. વળી અધ્યાત્મસાર (૬.૩૫)માં કહ્યું છે કે જો કોઈ વિરક્ત જણાતો મુનિ ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં... ક્યાંય પણ એકાન્ત આગ્રહ સેવે તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત ન હોઈ શકે. આ બધી વાતો પરથી નિશ્ચિત થાય છે કે એકલા મૈથુનનો જ સર્વથા નિષેધ છે. એ સિવાય શાસ્ત્રોમાં આધાકર્મ વગેરે જેનો પણ નિષેધ આવે છે તે એકાન્ત હોતો નથી. એ એકાન્ત હોતો નથી એનો મતલબ જ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો અપવાદ પદે એની અનુજ્ઞા હોય છે. અને તેથી એ પણ આચરણીય બની શકે છે, બને છે. એટલે, “શાસ્ત્ર જેમાં ઉદાસીન હોય એવી જ બાબત અપવાદે આદરણીય બને, પણ શાસ્ત્રમાં સ્પષ્ટ અક્ષરો દ્વારા જેનો નિષેધ હોય એવી બાબત નહીં આવી તમારી શંકા ઊભી રહી શકતી નથી. આ અંગે વિશેષ વિચારણા આગળના લેખમાં કરીશું. શ્રી દ્વાદશાંગીના અર્થથી ઉદ્ગાતા પ્રભુ મહાવીર જે, ને સૂત્રોના રચનારા ગૌતમ વળી સુધર્માસ્વામી જે, શ્રી સિદ્ધસેન-હરિભદ્ર-હેમાચાર્ય ને જસવિજય જે, ઉપકારી દેવ-ગુરુ ચરણમાં વંદના શત વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy