SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શકાય નહીં. પણ શિખવ્યવહારમાં આવું બોલાય તો છે જ. માટે ઘડા અને રૂ૫ વચ્ચે એકાંતે - સર્વથા અભેદ નથી, પણ કથંચિત્ (અમુક અપેક્ષાએ) અભેદ છે ને કથંચિત્ (અમુક અપેક્ષાએ) ભેદ છે. અર્થાત્ ભેદાભેદ છે એમ માનવું એ ન્યાયસંગત છે. આવું જ નિત્યાનિત્યત્વ, એકાનેકત્વ, સામાન્ય-વિશેષાત્મકત્વ વગેરે અંગે પણ જાણવું. એટલે કે એ અંગે પણ એકાંતે નિત્યત્વ કે એકાંતે અનિત્યત્વ માનવામાં ઘણા દોષ (વાંધા) ઊભા થાય છે. પણ જેમ એકલો ગોળ કફ કરે છે, એકલી સૂંઠ પિત્ત કરે છે... કિન્તુ એ બેને એકમેક કરીને બનાવેલી ગોળી હોય તો, ગોળના કફજનકત્વ દોષને સૂંઠ ખતમ કરી દે છે, સૂંઠના પિત્તજનન દોષને ગોળ હણી નાખે છે. એટલે દોષ કોઈ રહેતો નથી, ને નવા અનેક ગુણ પેદા થાય છે. એમ પરસ્પર સંકળાયેલા નિત્યત્વ-અનિત્યત્વ માનવામાં (નિત્યાનિયત્વ માનવામાં) એકલું નિત્ય માનવામાં આવતા દોષોને અનિત્યત્વ ગળી જાય છે ને એકલું અનિયત્વ માનવામાં આવતા દોષોને નિત્યત્વ ખાઈ જાય છે...માટે દોષ કોઈ રહેતો નથી.. ને નવા જ અનેકગણ પેદા થાય છે. તેથી એકાંતનિત્યત્વ કે એકાંત અનિત્યત્વ અસંભવિત હોવાથી એને જણાવનાર વચન એ ન્યાયસંગત વચન નથી, પણ પરસ્પર સંકળાયેલા નિત્યત્વ-અનિયત્વ (એટલે કે કથંચિત્ દ્રવ્યરૂપે નિત્યત્વ અને કથંચિદ્ - પર્યાયરૂપે અનિત્યત્વ) માનવાં. અર્થાત્ નિત્યાનિત્યત્વ માનવું એ સંભવિત હોવાથી=યોગ્ય હોવાથી એને જણાવનાર વચન એ ન્યાયસંગત વચન છે. શ્રીવીતરાગપ્રભુનું વચન સર્વત્ર આવા સ્યાદ્વાદને જણાવનાર હોવાથી ન્યાયસંગત વચન છે. પ્રશ્ન : પણ જો આ રીતે સર્વત્ર અનેકાન્ત રહ્યો હોય તો મોટા ભાગના જીવોને નિત્યત્વ વગેરેના એકાન્તનું જ કેમ દર્શન થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy