SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ બત્રીશી-૨, લેખાંક-૧૦ એ શક્ય ન બને ત્યાં સુધી એ જ્ઞાનને પામેલા ગીતાર્થગુરુનું પારતન્ય સ્વીકારવું જોઈએ એ રહસ્ય છે. આમ, નિશ્ચિત થયું કે ભાવનાજ્ઞાનજન્ય આજ્ઞાઆદર વિનાની ક્રિયાનું સમાપત્તિ સ્વરૂપ પ્રકૃષ્ટ ફળ મળતું નથી, કારણ કે એમાં ભગવાનું હૃદયસ્થ થતા હોતા નથી. શંકા - એવી ક્રિયા દ્વારા ભલે પ્રભુ હૃદયસ્થ ન થાય... પણ એવી ક્રિયા કર્યા પછી ભગવાનનું ધ્યાન ધરવાથી ભગવાન હૃદયસ્થ થઈ શકે છે ને તેથી એ પ્રકૃષ્ટફળ પ્રાપ્ત પણ થઈ જ શકે છે ને ! સમાધાન - તમારી શંકા બરાબર નથી. કારણકે જિનાજ્ઞાના આદરપૂર્વક ક્રિયા થાય તો વચનાનુષ્ઠાન ને ક્રમશઃ અસંગ અનુષ્ઠાન થવાનો નિયમ છે. જ્યારે, “આત્મહિત માટે જિનાજ્ઞા જ મહત્ત્વની છે” આવો આદર જેને પેદા થયો નથી (પછી ભલે ને કદાચ અનાદર ન પણ હોય) એવી વ્યક્તિ આત્મહિત માટે જે જે ક્રિયા કરે છે તે દરેક ક્રિયા પછી અવશ્ય ભગવદ્ ધ્યાન થાય જ (ભગવદ્ ધ્યાન લાગી જ જાય) એવો નિયમ નથી કે ક્યારેક એવું ધ્યાન લાગી જાય તો અવશ્ય સમાપત્તિ થાય જ એવો પણ નિયમ નથી. ક્યારેક કોઈક જીવ ધ્યાનની તેવી તીવ્રતાને કારણે એ પામી જાય તો તેમાં પણ પ્રભુવચનનો આદર સાક્ષાત્ નહીં તો પરંપરાએ વ્યક્તરૂપે નહીં તો અવ્યક્તરૂપે હોવાની સંભાવના છે જ. ને એના પ્રભાવે જ અસંગ અનુષ્ઠાન સંભવિત બને છે. માટે આ રીતે પણ આજ્ઞાનો આદર જ મહાન છે એ જ સાબિત થાય છે. શંકા - વ્યવહારનય બાહ્ય આચારને પ્રાધાન્ય આપે છે. નિશ્ચયનય ધર્મમાં આજ્ઞા સારભૂત છે” વગેરે રૂપે આજ્ઞાને મુખ્ય કરે છે. દેશના આપવાની હોય ત્યારે કેવી આપવી ? એ સંદર્ભમાં તમે બાળજીવને બાહ્ય આચારની પ્રધાનતાવાળી વ્યવહારપ્રધાન દેશના આપવાનું જણાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy