SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અભિનિવેશ બંધાઈ જતો હોય છે જે એમને એ સૂત્રના બીજા અભિપ્રાય નીકળતા અર્થને સાંભળવા – સમજવા માટેની ઉદારતાથી પણ વંચિત કરી દે છે. પરાભિપ્રાય માટે તેઓને અત્યંત અસહિષ્ણુ બનાવે છે... ક્યારેક ઝનુની પણ બનાવી દે છે. આ બધું જ, તેઓને મોક્ષમાર્ગથી ક્યાંય દૂર હડસેલી દેવા માટે સમર્થ હોય છે. આગળ ત્રીજી બત્રીશીમાં ગ્રન્થકાર ગચ્છવાસ છોડી જનારા અગીતાર્થોની વાત કરવાના છે. “ગચ્છમાં મોટો સમુદાય હોવાથી નાના મોટા દોષ લાગ્યા કરતા હોય છે. આવા દોષથી ડરીને અને ઉત્સર્ગ પ્રતિપાદક શાસ્ત્રવચનોના માત્ર પદાર્થરૂપ બોધના આગ્રહને વશ થઈને મારે તો સંપૂર્ણ નિદોર્ષ સંયમ પાળવું છે જે ગચ્છમાં રહીને સંભવિત નથી. માટે ગચ્છને છોડીને એકાકી બની જાઉં.' આવા વિચારપૂર્વક ગચ્છને છોડી જનારા સાધુઓ અત્યંત દુષ્કર એવી તપ-સંયમની સાધના કરતાં હોવા છતાં અન્યધર્મી તાપસ વગેરેની જેમ અવ્રત હોય છે.” આવું ગ્રન્થકારે જે જણાવ્યું છે તેમાં પણ આવું જ કંઈક સમજવું જરૂરી છે. આ જીવોને પણ શાસ્ત્રવચનની ખૂબ રુચિ હોય છે. ને એના પોતાને બેસેલા અર્થને (પદાર્થબોધને) અનુસરવા માટે જ તેઓ ગચ્છ છોડી ગયા હોય છે ને છતાં આરાધક બનવાના બદલે મોટે ભાગે વિરાધક જ બની જતા હોય છે. એટલે શાસ્ત્રવચનો પ્રત્યે આદર બહુમાન હોવા માત્રથી કામ સરતું નથી. ભાવનામય જ્ઞાન જન્ય આજ્ઞા – આદર હોવા જોઈએ. એમ, ગચ્છમાં રહેલા સાધુઓ પણ જો ભાવનામય જ્ઞાન પામવાની તમન્ના ધરાવતા ન હોય, ને પોતે કરેલા અર્થનો કદાગ્રહ પકડી લેતા હોય, તો બાહ્યદૃષ્ટિએ આજ્ઞારુચિ હોવા છતાં અન્યધર્મી તાપસ વગેરેની જેમ અભિન્નગ્રન્થિપણું કે વ્રતશૂન્યપણું વગેરે નુકશાન લમણે ઝીંકાય એ અસંભવિત નથી. માટે સર્વ આત્મહિતેચ્છુઓએ ભાવનામયજ્ઞાન સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ, ને જ્યાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy