SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૦ ૯૧ તરીકે કહ્યો છે તે ભાવનામય જ્ઞાન દ્વારા પ્રગટ થયેલો આજ્ઞા આદર સમજવાનો છે. એટલે ક્યારેક ‘શાસ્ત્રવચનો જ અમારે પ્રમાણ છે, શાસ્ત્ર જ અમારી આંખ છે, અમે તો શાસ્ત્રને જ અનુસરીએ... શાસ્ત્રમાં શું કહ્યું છે તે જણાવો...’ આવું બધું વિચારવા દ્વારા પોતાની જાતને શાસ્ત્રાનુસારી માનનારાઓ અને પ્રચારવા દ્વારા પોતાની જાતને શાસ્ત્રાનુસારી ઘોષિત કરનારાઓ પણ જો આ ભાવનાજ્ઞાનથી સો ગાઉ છેટે રહ્યા હોય તો સમાપત્તિ તરફ આગળ વધવાની વાત તો દૂર રહી, કંઈક મિથ્યા અભિનિવેશ (ગાઢકદાગ્રહ) ના કારણે, મોક્ષથી કેટલાય દૂર ફેંકાઈ જતા હોય છે, પછી ભલે ને ડગલે ને પગલે મોક્ષ મોક્ષ કર્યા કરતા હોય. બેશક, પ્રભુવચનો પ્રત્યે તેઓનો ખૂબ આદર અહોભાવ હોવો તે ને એ આદર ભાવના પ્રભાવે જ પ્રભુવચનોને નજરમાં રાખી તેઓ સંસાર ત્યાગ કરી કઠોર સાધનામય જીવન જીવે તે, ને કેટલાંય શાસ્ત્રોનું અધ્યયન કરે તે, અને આ બધું નજરમાં રાખીને ‘આપણને તો પ્રભુવચનનો ઘણો પ્રેમ છે’ એવી માન્યતામાં રાચતા હોય તે... આ બધું જ સંભવિત છે. પણ ભાવનાજ્ઞાન પામ્યા નથી એનો પ્રભાવ જુઓ... આવી બધી એમની માન્યતાઓ માત્ર ભ્રમણારૂપ બની રહે છે. તે તે શાસ્ત્રવચનનો યથાશ્રુત અર્થ (પદાર્થ, વાક્યાર્થ વગેરે ચારમાંનો પ્રથમ પદાર્થ) તેઓ સમજી શકતા હોય છે. પણ એ અર્થ જ તે તે શાસ્ત્રવચનનો સંપૂર્ણ અર્થ છે એવો કદાગ્રહ એમની બુદ્ધિમાં આકાર લે છે. એટલે એ સૂત્રના ઉત્સર્ગપદે નીકળતા અર્થને તેઓ જાણતા હોય તો અપવાદરૂપે નીકળતા અર્થને જાણતા હોતા નથી. એમ એ સૂત્રના વ્યવહારનયાભિપ્રાયે નીકળતા અર્થને સમજતા હોય તો નિશ્ચયનયાભિપ્રાયે નીકળતા અર્થને સમજતા નથી. જાણતા ન હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ ક્યારેક પોતે જે જાણતા હોય તે જ સંપૂર્ણ અર્થબોધસ્વરૂપ છે, આ સિવાય આ સૂત્રનો બીજો કોઈ અર્થ હોઈ જ ન શકે... આવો બધો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy