SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ બત્રીશી-૨, લેખાંક-૧૦ સમાપત્તિ હોય તે સમાપત્તિથી સમ્યકત્વ વગેરે ગુણપુરુષરૂપ યોગીનો જન્મ થાય છે. આજ્ઞાનો આદર જ મહત્ત્વનો છે એ વાત બીજી પણ એક રીતે જણાય છે. અર્થાત્ સમ્યકત્વાદિ ગુણોને લાવી આપનાર હોવાથી તો આજ્ઞાનો આદર મહત્ત્વનો છે જ, એ સિવાય અન્ય રીતે પણ તે મહત્ત્વનો છે. તે આ રીતે - શાસ્ત્રોમાં ધર્મ અનુષ્ઠાનના પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન એમ ચાર પ્રકાર બતાવ્યા છે. આમાંથી પ્રસ્તુતમાં છેલ્લા બે અનુષ્ઠાનોનો વિચાર કરવાનો છે. કર્યું અનુષ્ઠાન ક્યારે કરવું ? કઈ રીતે કરવું ? વગેરે અંગે શાસ્ત્રમાં જે કહ્યું હોય એને અનુસરીને કરાતું અનુષ્ઠાન એ વચનાનુષ્ઠાન છે. અર્થાત્ શાસ્ત્રવચનોના અનુસંધાનપૂર્વક આ અનુષ્ઠાન થતું હોય છે. એ વારંવાર કરવાથી આત્મામાં એવા સંસ્કાર પડી જાય છે કે હવે વચનોને યાદ કરવામાં ન આવે તો પણ શાસ્ત્રમાં જે રીતે અનુષ્ઠાન કરવાનું કહ્યું હોય એ રીતે સહજ રીતે થયા કરે છે. જેમ પહેલા દંડ દ્વારા ચક્રભ્રમણ (ચાકડો ફેરવવાનું) થાય છે. પણ પછી દાંડો કાઢી લેવા છતાં, ચાકડો ઘુમ્યા જ કરે છે, કારણ કે દંડ દ્વારા થયેલા ચક્રભ્રમણથી ચાકડામાં એ રીતે ફર્યા કરવાના સંસ્કાર ઊભા થઈ ગયા હોય છે. એમ પહેલાં, શાસ્ત્રવચનોને યાદ કરી કરીને આગમોક્ત રીતે અનુષ્ઠાન (=વચનાનુષ્ઠાન) કર્યું. ફરીથી એ રીતે બીજીવાર કર્યું. ત્રીજી વાર કર્યું... આમ વારંવાર કરવાથી આત્મામાં એવા સંસ્કાર ઊભા થઈ જાય છે. અર્થાત્ ચંદનમાં જેમ ગંધ સાહજિક હોય છે એમ આત્મામાં આવા સંસ્કારના પ્રભાવે વચનાનુષ્ઠાન સાહજિક બની જાય છે. અર્થાત્ જ્યારે જ્યારે અવસર આવે ત્યારે ત્યારે સહજ રીતે તે જ પ્રવૃત્તિ થાય છે અને તે પણ જે રીતે આગમમાં કહી હોય એ જ રીતે થાય છે. જેમકે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy