SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક માં ૧૦ પ્રભુના વચનના બહુમાન દ્વારા પ્રભુ હૃદયસ્થ થાય છે, અને પ્રભુ હૃદયસ્થ થવા પર સમરસાપત્તિ = સમાપત્તિ થાય છે, જે ધ્યાનનું પ્રકૃષ્ટ ફળ છે, આવી જે વાત ગયા લેખાંકમાં છેલ્લે આવેલી એને હવે બરાબર સમજીએ. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો... આઠ પ્રાતિહાર્ય, ચોંત્રીશ અતિશય, બાર ગુણ, પાંચ કલ્યાણક.. વગેરે રૂપ શ્રી અરિહંત પરમાત્માના સ્વરૂપમાં પોતાના ઉપયોગને કેન્દ્રિત કરવાથી જેમ શ્રી અરિહંતનું ધ્યાન થાય છે, એમ પ્રભુના વચનોમાં ઉપયોગને એકાગ્ર કરવાથી પણ પ્રભુનું ધ્યાન થાય છે. આ ઉપયોગ પ્રભુમય બનેલો હોય છે. વળી ઉપયોગવાળો આત્મા આ ઉપયોગથી કાંઈ જુદો હોતો નથી, અભિન્ન હોય છે. માટે, એ આત્મા પણ પરમાર્થથી પ્રભુમય બની જાય છે. આમ, પરમાત્મ સ્વરૂપથી રંગાયેલી (ઉપરક્ત) આવી મનની એક વિશેષ પ્રકારની અવસ્થા કે જે ચોક્કસ પ્રકારના ધ્યાનરૂપ છે કે ધ્યાનના ફળરૂપ છે તેને સમાપત્તિ કહેવાય છે. શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છેકે તથ-તવંગનતા સમપત્તિઃ | (અર્થ આપણો ઉપયોગ તેમાં = પ્રભુમાં સ્થિર થઈ જવો કે તેનાથી = પ્રભુના સ્વરૂપથી રંગાઈ જવો એ સમાપત્તિ છે) “મારામાં ભગવસ્વરૂપ છે, હું તે જ છું.” આવા બધા ધ્યાનથી આ સમાપત્તિ ઉલ્લેખ પામે છે. શ્રી ષોડશકના શ્લોક નં. ૨-૧૦ માં કહ્યું છે કે આ સમાપત્તિ એ યોગીપુરુષની માતા છે. આશય એ છે કે સમ્યકત્વ, દેશવિરતિ વગેરે ગુણોને પુરુષ તરીકે વિચારીએ તો આ ગુણપુરુષો એ યોગી છે. આવા ગુણપુરુષરૂપ યોગીને સમતાપત્તિ જન્મ આપે છે. અર્થાત્ તે તે અવસ્થાને ઉચિત (જેમકે સમ્યકત્વાભિમુખ મિથ્યાત્વની અવસ્થાને ઉચિત) પ્રભુધ્યાનનું ફળ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy