SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૯ ૮૫ માટે આ પરસ્થાન દેશના રૂપ બને છે. આ પરસ્થાન દેશના ટાળીને એને સ્વસ્થાન દેશના જો આપવી હોય તો એની સમક્ષ વિધિ - જયણા વગેરેના પાલનપૂર્વક એ વિધિ – જયણાવાળા લોચ, ભૂમિશયન, અનેક પ્રકારનો તપ, બાવીશ પરીષહ, ઉપધિ અલ્પ રાખવી, પગરખાં ન પહેરવા, રાત્રે માત્ર બે જ પ્રહરની અલ્પનિદ્રા, વિશિષ્ટ કાળજીવાળી - દોષ પરિહારવાળી ગોચરીચર્યા (કે જે શ્રોતાને આશ્ચર્ય સાથે અહોભાવ પેદા કરે છે). દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ સંબંધી વિવિધ અભિગ્રહો, વિગઈ ત્યાગ, “એક જ ધાન્યનો ઉપયોગ કરવો - બાકીના ધાન્યનો ત્યાગ...” આવા બધા અનેક પ્રકારના ત્યાગથી શોભતું પારણું, માસ કલ્પ વગેરેથી યુક્ત નવકલ્પી વિહાર, કાઉસ્સગ્ન વગેરેની સાધના.. આવા બધા બાહ્ય આચારધર્મનો ઉપદેશ આપવો જોઈએ. આવા ઉપદેશથી એની આવા ધર્મને સ્વીકારવાની કંઈક રુચિ પ્રગટે છે. જે એને “બાળ” માંથી “મધ્યમ ની ભૂમિકા તરફ આગળ લઈ જાય છે પછી એ “મધ્યમ ની પ્રાથમિક ભૂમિકા પામે છે. એમાં એ સ્થિર થઈ જાય પછી હજુ વધારે સૂક્ષ્મતાવાળીગોચરીના દોષ ટાળવાપૂર્વકની ભિક્ષાચર્યા-ઈસમિતિ પાલન વગેરેની દેશના આપવાની હોય છે જેથી એની “મધ્યમ' ની ભૂમિકા બરાબર સ્થિર-દઢ થઈ જાય છે. ટૂંકમાં આ સ્વસ્થાન-પરસ્થાન દેશનાનો આવો વિભાગ થયો કે (૧) બાળજીવને ધર્મમાં જોડવા - સ્થિર કરવાનો પ્રસ્તાવ હોય ત્યારે ધર્મના બાહ્ય આડંબર - આકર્ષણવાળા સ્વરૂપની અને એમાં આકર્ષક ફળોની દેશના એ સ્વસ્થાન દેશના, ધર્મના કડક - કઠોર આચારો - સૂક્ષ્મ વિધિ વિધાનો વગેરેની દેશના એ પરસ્થાન દેશના, કારણ કે એનાથી એને અપરિણામ થાય છે. (૨) ધર્મમાં સ્થિર થઈ ગયેલા બાળજીવને આગળ વધારવાનો પ્રસ્તાવ હોય ત્યારે માત્ર આડંબરવાળા સ્વરૂપ વગેરેની દેશના એ પરસ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy