SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દેખાવમાં જ ધર્મ હોવાની બુદ્ધિ થઈ જતી હોવાથી આવા વિધિવિધાન આવશ્યક ભાસતા હોતા નથી અને તેથી એની રુચિ પેદા થઈ હોતી નથી. એટલે રુચિ છે નહીં. ને છતાં “ધર્મ તરીકે આવું નિરૂપણ કરવામાં આવે તો આ બધું એને ઝંઝટરૂપ લાગે છે. ને તેથી અહોભાવ કે આકર્ષણ થવાની તો વાત બાજુ પર, એને કદાચ અભાવ જ થઈ જાય, તો નવાઈ નહીં, એટલે એને ધર્મમાં જોડવાની વાત તો દૂર જ રહી જાય છે. ધર્મને ધર્મ' તરીકે સ્વીકારવાનો અને આચરવાનો આ પરિણામ જ જે એને થતો નથી એને “અપરિણામ' કહેવાય છે. આમ, આવા જીવ માટે આ પરસ્થાન દેશના બને છે. પૂર્વે મધ્યમજીવને જે “અપરિણામ' કહ્યો હતો એના કરતાં આ જુદો જાણવો) આવા જીવને તો ધર્મનું બાહ્ય સ્કૂલ - સુંદર સ્વરૂપ અને એના મહિમાવંતા આકર્ષક ફળનું વર્ણન કરવું જોઈએ. એનાથી એ ધર્મ તરફ આકર્ષાય છે, ધર્મમાં જોડાય છે. અલબત્ત એ બાળજીવ હોવાથી ધૂમધામવાળો - આડંબરવાળો - બાહ્યસુંદર દેખાવવાળો ધર્મ જ આચરે છે. સૂક્ષ્મ વિધિ વિધાન - જયણા વગેરે આચરતો નથી. છતાં, આવા પણ ધર્મમાં એને લાભ જ લાભ ભાસતો હોવાથી ક્રમશઃ એ એમાં સ્થિર થાય છે, દઢ શ્રદ્ધાવાળો બને છે. હવે એને બાળમાંથી મધ્યમ બનાવવાની ભૂમિકા સર્જાયેલી છે. એટલે એને મધ્યમ બનાવવાનો ઉદેશ છે. ને છતાં પૂર્વે જેવું ધર્મનું આડંબરવાળું સ્વરૂપ વર્ણવેલું હતું, એવું જ વર્ણવ્યા કરવામાં આવે, (એમ, સૂક્ષ્મ વિધિ જયણા વગેરેની છૂટછાટવાળા આપવાદિક વિધાનોનું વર્ણન કર્યા કરવામાં આવે, તો એ એમાં જ આરાધના માન્યા કરનારો બને છે... અર્થાત્ સૂક્ષ્મ વિધિ - જયણા વગરના અનુષ્ઠાનને પણ ધર્મ તરીકે સ્વીકારનારો ને આચરનારો એ બન્યો રહે છે, સૂક્ષ્મ વિધિ - જયણા એને ક્યારેય આવશ્યક લગતા નથી. આ “અતિપરિણામ છે. પૂર્વે બાળજીવને જે અતિપરિણામ કહ્યો હતો તે જ આ “અતિપરિણામ છે) તેથી એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy