SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૯ ૮૩ વિધિનું પાલન કરનારા હોવા જ જોઈએ, જેથી શ્રોતા મધ્યમજીવને એમની આપવાદિક વાતો સાંભળીને “આ તો પોતાની શિથિલતાનો બચાવ કરવા માટે આ બધું કહી રહ્યા છે એવું ન લાગે. ઊલટું, એકબાજુ એમનું પણ સંપૂર્ણ વિધિપાલન જોવા મળતું હોય ને એના કારણે એમના પર આપણાની શ્રદ્ધા સ્થિર થયેલી હોય) અને બીજી બાજુ આપવાદિક વાતો સાંભળવા મળતી હોય.. એટલે શ્રોતા મધ્યમજીવને થાય છે કે પરિસ્થિતિ અમુક પ્રકારની થાય તો આવું આચરણ પણ શાસ્ત્રોક્ત હશે. એવા આચરણમાં પણ આરાધના માર્ગ ઊભો રહી શકે છે. આમ, “અપવાદ પણ એક પ્રકારનો આરાધના માર્ગ છે' એવી એની બુદ્ધિ વ્યુત્પન્ન થવા માંડે છે. અર્થાત્ હવે એ પણ પંડિતજીવ બનવાની ભૂમિકામાં આવવા માંડે છે. જે ઇચ્છનીય લાભ છે. પ્રશ્ન : તમારી આ વાત તો સમજાય છે કે મધ્યમજીવને નવો ધર્મમાં જોડવાનો હોય ત્યારે ઉત્સર્ગમાર્ગની ભારપૂર્વક પ્રરૂપણા કરવી જોઈએ અને એ જોડાઈ જાય, સ્થિર થઈ જાય, પછી એને પણ પંડિત બનાવવા માટે એને અપવાદમાર્ગનો પણ જાણકાર બનાવવો જોઈએ. આનાથી એ જીવને ત્રણ લાભ થાય છે. (૧) એ પંડિત બને છે (૨) પોતાને એવી કોઈ પરિસ્થિતિ આવે તો કામચલાઉ અપવાદ સેવીને પાછો ઉત્સર્ગમાર્ગે ચઢી શકે છે ને આરાધનાને અખંડ રાખી શકે છે તથા (૩) બીજા કોઈ મહાત્મા, એવી પરિસ્થિતિવશાત્ અપવાદ સેવતા હોય તો એ અપવાદ જોયા છતાં એમના પરનું બહુમાન હવે આ મધ્યમજીવ જાળવી શકે છે. આમ, મધ્યમજીવ માટે બે પ્રકારની પ્રરૂપણા થઈ, તો બાળજીવ માટે શું? ઉત્તર : બાળજીવ માટે પણ બે પ્રકારની પ્રરૂપણા જાણવી જ જોઈએ. એને ધર્મમાં જોડવાનો પ્રસ્તાવ હોય ત્યારે ધર્મના ઝીણા ઝીણા વિધિવિધાનની પ્રરૂપણા કરવાની હોતી નથી, કારણ કે એને તો બાહ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy