SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હવે એનું વર્ણન, એમને ધર્મમાં જોડવા - સ્થિર કરવા માટે જરૂરી રહ્યું નથી. પણ બીજા પ્રકારના જીવોને ધર્મમાં જોડવાના છે એ માટે એમનું આકર્ષણ પેદા કરવું જરૂરી છે. જેવી રુચિ હોય એવી વાતો આકર્ષણ પેદા કરે એ સહજ છે. માટે એની રુચિ તપાસીને... ને એટલે એ મધ્યમજીવ લાગવાથી એને ઈર્યાસમિતિ વગેરેનું સૂક્ષ્મ નિરૂપણ કરવું જોઈએ. એને શ્રીજૈનશાસનમાં – શાસ્ત્રોમાં જીવદયાની કેવી ઝીણી ઝીણી વાતો વર્ણવેલી છે એ જણાવવું જોઈએ... એ સાંભળીને એને “ઓહોહો... જીવદયાની આવી નિરૂપમ કાળજી !' વગેરે રૂપે અહોભાવ જાગે છે ને તેથી એ ધર્મમાં જોડાય છે. આ રીતે ધર્મમાં જોડાયા પછી, પોતાની રુચિનો વિષય હોવાથી એ સૂક્ષ્મ વિધિ વિધાનોનું પણ કાળજીપૂર્વક પાલન કરતો રહે છે જેનાથી એ બધા વિધાનો એને આત્મસાત્ થઈ જાય છે. તે સાથે પોતાની એવી બુદ્ધિની ભૂમિકા હોવાથી એમાં જ એને આરાધના હોવી ભાસે છે, એમાં જરા પણ આવું પાછું આચરણ એને “વિરાધના' રૂપ જ લાગે છે. એટલે હવે એને, જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે જ જો આપવાદિક આચરણની વાત કરવામાં આવે, તો એની ભૂમિકા એનો એને સ્વીકાર કરવા દેતી નથી. તેથી જ્યાં સુધી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, ત્યારે જ એને આ સમજાવવું જોઈએ કે “જો સામાન્ય પરિસ્થિતિમાં તો આવી ઝીણી ઝીણી બધી કાળજી જોઈએ જ. એમાં જે કાંઈ ગરબડ કરીએ એ પ્રમાદ કહેવાય... પણ પરિસ્થિતિ જો બદલાય, તો અમુક પ્રકારનો ફેરફાર પણ કરવો પડે જેથી ભવિષ્યમાં મોટી વિરાધનામાં પડવું ન પડે.” વગેરે. એ પોતે સૂક્ષ્મ – સૂક્ષ્મતર કાળજીની રુચિવાળો હોવાથી, આવી વાતોનું “આ શ્રોતા ચાલુ પરિસ્થિતિમાં પણ ઢીલાશવાળો બની જશે” આવું વિપરીત પરિણામ આવતું નથી. તથા આવા આપવાદિક આચરણની પ્રરૂપણ કરનારા ગીતાર્થ મહાત્મા પણ આમ તો સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy