SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૯ સ્વીકારવા એનું દિલ તૈયાર જ થતું નથી. કારણ કે ઉત્સર્ગમાર્ગના નિરૂપણના શ્રવણ - ચિંતન વગેરેથી એનો આગ્રહ એમાં બંધાઈ ગયો હોય છે. એટલે હજુ એને ફરીથી પણ ઉત્સર્ગના વિધાનોની જ દેશના આપવામાં આવ્યા કરે. એ વિધાનોથી જરા પણ આઘાપાછા ક્યારેય થવાય જ નહીં એ વાત પર ભાર અપાયા કરે તો ઔત્સર્ગિક વિધાનોનો પક્ષપાત વધુ ને વધુ ગાઢ થવાથી, આપવાદિક આચરણ અત્યંત આવશ્યક બન્યું હોય એવી પરિસ્થિતિમાં પણ અપવાદનું આચરણ કરવાનો પરિણામ એને પેદા થઈ જ શકતો નથી. માટે આ “અપરિણામ' કહેવાય છે. આ પણ બુદ્ધિનો એક પ્રકારનો અંધાપો જ છે, કારણકે અપવાદ માર્ગને એ હવે જોઈ શકતો નથી. માટે આવા જીવોને દેશના આપવાની હોય ત્યારે જેમાં આપવાદિક વિધાનો આવતા હોય એવા શાસ્ત્ર વચનોની આપવી જોઈએ, જેથી “આવું આચરણ પણ પ્રભુએ કહેલું હોવાથી માર્ગરૂપ બની શકે છે, એમ એ શ્રદ્ધા કરતો થાય. તેથી આવી દેશના એના માટે સ્વસ્થાન દેશના કહેવાય છે. આના બદલે એને જો ઉત્સર્ગમાર્ગને જ દૃઢ કરે એવી દેશના આપ્યા કરવામાં આવે તો એ ઉપર મુજબ “અપરિણામ પેદા કરનાર હોવાથી એના માટે પરસ્થાન દેશનારૂપ બની જાય છે. શંકા - આગળ આ જ બત્રીશીમાં આવવાનું છે કે મધ્યમ જીવને સમ્યગૂ ઈર્યાસમિતિ વગેરેનું નિરૂપણ કરવું જોઈએ. તો આ તો ઉત્સર્ગમાર્ગની જ વાતો થઈ. ને તમે તો એને પરસ્થાન દેશના કહીને નકારી રહ્યા છો. એટલે આમાં વાસ્તવિકતા શું સમજવી ? સમાધાન - મધ્યમજીવો બે પ્રકારના હોય છે. ધર્મમાં જોડાઈને સ્થિર થઈ ગયેલા, અને તે સિવાયના.... આમાંથી જેઓ પ્રથમ પ્રકારના છે એમને મેં ઉપર જણાવી છે એવી દેશના આપવાની હોય છે, કારણકે આ જીવોએ ઈર્યાસમિતિ વગેરે આચારોનું વર્ણન પૂર્વે સાંભળેલું જ છે, એમને એ ગમેલું જ છે ને તેથી જીવનમાં પણ ઉતારી જ દીધેલું છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy