SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૯ ૭૯ પર અપવાદ સમજી થોડા દિવસ એકાસણાં છોડી દીધા. કાળજીપૂર્વક દવા લીધી.. ને સ્વસ્થ થઈને પાછા એકાસણાના ઉત્સર્ગમાર્ગે ચઢી ગયા. બાળજીવને બિમારી આવવા પર ગુરુભગવંતે દવા માટે થોડા દિવસ એકાસણાં છોડાવી નવકારશી કરાવી. સ્વસ્થ થઈ ગયા. પણ, “સાધુપણામાં રોજ એકાસણાં કરવા જ પડે એવું કાંઈ નહીં, નવકારશી કરીએ તો પણ ચાલે” એવું એમના મનમાં ઠસી ગયું. ને તેથી રોજિંદા એકાસણાં છૂટી ગયા. મનમાં આવે ત્યારે વગર કારણે નવકારશીમાં પણ બેસી જવા માંડ્યા. ગુરુભગવંતે ટકોર કરવા પર કહ્યું કે એ વખતે તમે જ નવકારશી કરાવી હતી. તો હવે કેમ ના પાડો છો ? “અરે ! પણ આપણે સાધુએ આમ નવકારશી ન કરાય.” તો શું એ દિવસોમાં હું સાધુ નહોતો?” પણ એ વખતે તો બિમારીનું કારણ હતું... તેથી નવકારશી ચાલે...' “ના, એ વખતે ચાલે, તો આજે પણ કેમ ન ચાલે ? આમ, બાળજીવ, અપવાદને પણ માર્ગ માની લે છે. પણ કારણ જોવા વિચારવાની એની ભૂમિકા ન હોવાથી વગર કારણે પણ અપવાદ સેવી શકાય, એમ માની લે છે. “નિષ્કારણ' આપવાદિક આચરણ એ ઉન્માર્ગ છે એવું એની બુદ્ધિમાં બેસતું નથી. આને અતિપરિણામ કહે છે. બિમારી વગેરે રૂપ એવી કોઈ વિશેષ પરિસ્થિતિને નજરમાં રાખીને નવકારશી કરી શકાય. વગેરે રૂપ જે કાંઈ વિધાન કરવામાં આવે એને સાર્વદિક માની લેવા. અર્થાત્ એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ ન હોય તો પણ તે તે (આપવાદિક) આચરણ આચરી શકાય એવું મનમાં બેસી જવું એ અતિપરિણામ કહેવાય છે. આ અતિપરિણામ એ એક પ્રકારનો અંધાપો છે, કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy