SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય છે. ને તેથી અપવાદ તો સેવાય જ નહીં. અપવાદ સેવવામાં આવે તે આપણી સાધના ઊભી રહી જ ન શકે, “આપણે સાધનાથી ભ્રષ્ટ થઈ ગયા” એમ જ કહેવાય. એટલે જેને સાધનાની લગન છે એવા મધ્યમ જીવને સાધના માત્ર અને માત્ર ઉત્સર્ગમાં જ દેખાતી હોવાથી એ ઉત્સર્ગને પકડી રાખવાના ગાઢ આગ્રહવાળો બને છે. આનું પરિણામ એ આવે છે કે, જે પરિસ્થિતિમાં ઉત્સર્ગને જાળવી રાખવાનું પોતાનું ગજું જ નથી... ગમે એટલું સત્ત્વ ફોરવે કે કષ્ટ ઉઠાવવાની તૈયારી રાખે તો પણ ઉત્સર્ગમાર્ગ જાળવી શકાય એમ હોય જ નહીં. ને છતાં જાળવવા જાય તો એવી મુશ્કેલીમાં મૂકાય કે જેથી મોટી વિરાધનામાં પડવાની નોબત આવે. આવી પરિસ્થિતિ ઊભી થવા છતાં એ ઉત્સર્ગને જ પકડી રાખવાની મથામણ કરે છે. પણ પકડી રાખી શકતો નથી ને પરિણામે મોટી વિરાધનમાં પડે જ છે. પંડિતજીવ ગૌરવ-લાઘવ વગેરેનો વિચાર કરનાર હોવાથી એવી પરિસ્થિતિમાં આવશ્યક હોય એવો અપવાદ અપનાવી, પાછો ઉત્સર્ગમાર્ગ પર આવી જ જાય છે ને તેથી એનું મોક્ષમાર્ગ પરનું પ્રયાણ અખંડ રહે છે. જેમકે – સાધુઓ માટે “એગભાં ચ ભોયણ' આવા શાસ્ત્રવચન દ્વારા નિત્ય એકાસણા કરવાનું વિધાન છે. એક સાધુભગવંત સંવિગ્નગીતાર્થ છે - પંડિતજીવ છે. બીજા એક સાધુભગવંત આચારચુસ્ત મધ્યમજીવ છે. ત્રીજા એક સાધુભગવંત બાળજીવ છે. ત્રણે મહાત્માઓ રોજિંદા એકાસણા કરે છે. આમાંના મધ્યમજીવકક્ષાના સાધુભગવંતને આગંતુક ગંભીર બિમારી આવી ગઈ. વૈદ્યની ત્રણ ટાઈમ દવા લેવાની ને ત્રણ ટાઈમ થોડો થોડો ખોરાક લેવાની સ્પષ્ટ સૂચના છે. પણ ઉત્સર્ગરુચિ હોવાના કારણે એકાસણાં છોડ્યાં નહીં. પરિણામ? બિમારી લાંબી ચાલી. વધારે ગંભીર બની. ને શરીર પર એવી તીવ્ર અસર મૂકી કે જેથી એકાસણાં હંમેશ માટે છોડવા પડે. ન છોડે તો પ્રાણ છોડવા પડે. પંડિતજીવને આવી બિમારી આવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy