SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક પંડિતજીવ ઐદંપર્યાર્થ સુધી પહોંચનાર હોય છે એ વાત ગયા લેખમાં જોઈ. હવે પંડિતજીવ ગૌરવલાઘવનો વિચાર કરનારા હોય છે એ વાતને સમજીએ. શંખેશ્વરજી મહાતીર્થ. વૈશાખની ધોમધખતી ધરા. લૂ સાથે ફૂંકાતા વાયરા. મહાત્માઓ વિહાર કરીને યાત્રાર્થે પધાર્યા. એક મહાત્માની ભાવના ઉલ્લસિત થઈ... અમ કરવો છે ને તે પણ ચોવિહાર. વડિલોએ ચોવિહારની ના પાડી. તિવિહાર કરો. પણ એક જ ધૂન... દાદા મળ્યા છે ને ચોવિહાર અટ્ટમ જ કરું. છેવટે એક-એક ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લેવાનું વડિલોએ સૂચન કર્યું. પણ મહાત્મા તપસ્વી હતા. અઠ્ઠમ તો રમત વાતમાં કરું છું.. શું વાંધો આવવાનો છે? આગ્રહ કરીને પણ ચોવિહાર અટ્ટમનું જ પચ્ચષ્માણ કર્યું, ને પરિણામ તો વડિલોને જેની આશંકા હતી એ જ આવ્યું. શરીરમાં પાણી જ ન રહ્યું. તાબડતોબ વાહન દ્વારા ટ્રીટમેન્ટ માટે અમદાવાદ લાવવા પડ્યા. વધારે આરાધનાની હોંશ તો સારી વાત છે. પણ ગૌરવ-લાઘવનો વિચાર ન હોય તો, કલ્પના પણ ન હોય એવી વિરાધનામાં પડવાની નોબત આવી શકે છે. એમ, એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો ઉત્સર્ગ પકડી રાખવામાં પાછળથી વધારે અપવાદો સેવવાની જરૂર ઊભી થાય. એના કરતાં અવસરને પરખીને પહેલેથી જ યોગ્ય અપવાદ અપનાવી લીધો હોય તો ટૂકે કામ પતી જાય. પણ મધ્યમજીવને આવા ગૌરવ-લાઘવનો વિચાર કરવાની ક્ષમતા હોતી નથી. તથા ઔત્સર્ગિક આચરણને જ એ નિર્દોષ માનનારો હોય છે. “ઉત્સર્ગ જેમ મોક્ષમાર્ગ છે એમ એવી પરિસ્થિતિમાં યથોચિત અપવાદ એ પણ મોક્ષમાર્ગ જ છે. આવું એની કલ્પનામાં પણ આવી શકતું નથી. અપવાદને એ ઉન્માર્ગ જ માનનારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy